SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાનો જન્મદિવસ અન્યના જીવનમાં અજવાળું પાથરનારો બને તે માટે માધવરાવ પેશ્વા પોતાના જન્મદિવસે કોઈ ગરીબ માનવીને દાન આપતા, તો વસ્ત્રની જરૂરવાળાને વસ્ત્ર આપતા. દયાળુ પેશ્વાને કોઈ કહેતું કે મારી પાસે ભોજન માટે રોટલો છે, પણ વસવા ઓટલો નથી. આવે સમયે માધવરાવ પેશ્વા એને મકાન બાંધવા માટે ભૂમિદાન કરતા. એક વાર તેર વર્ષનો એક બ્રાહ્મણ વિદ્યાર્થી એમની પાસે આવ્યો. માધવરાવ પેશ્વા એને દાન આપવા ગયા, ત્યારે બ્રાહ્મણકુમારે એ દાનનો અસ્વીકાર કર્યો. આથી પેશ્વાએ પૂછ્યું, “હે કુમાર! તમે ક્યું દાન ઈચ્છો છો ? શા માટે દાન કે ધાન્યનો સ્વીકાર કરતા નથી ?” બ્રાહ્મણકુમારે કહ્યું, “મહારાજ! મેં જોયું છે કે ધનિક વ્યક્તિ સમય બદલાતાં નિર્ધન પણ બની જાય છે, આથી જ લક્ષ્મી ચંચળ કહેવાય છે ! જેમને આપે સંપત્તિદાન કર્યું, તેઓની સંપત્તિ સમય જતાં ક્ષીણ થઈ જવાની. અન્નદાન પણ ભોજન કરતાં ખૂટી જવાનું છે. વસ્ત્રદાન આપ આપો, પણ સમય જતાં એ વસ્ત્ર મેલું-ઘેલું થઈને ફાટી જાય છે અને ભૂમિદાન પણ સમય જતાં વ્યર્થ બની રહે છે.”. માધવરાવ પેશ્વા આ કુમારનો ઉત્તર સાંભળીને પ્રભાવિત થયા. એમણે પૂછ્યું, “તો તમે કયા પ્રકારનું દાન ઈચ્છો છો ?” બ્રાહ્મણકુમારે કહ્યું, “રાજન્ ! હું તો આપની પાસે એવું * દાન મેળવવા ઈચ્છું છું કે જે સદેવ મારી સાથે રહે. કદીય ખૂટે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001357
Book TitleJivanmangal
Original Sutra AuthorN/A
AuthorMitesh H Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy