________________
મનુષ્યભવ
પ્ર. ૧ઃ મનુષ્યભવ એટલે શું? ઉ. : દીર્ઘ કાળથી સંસારમાં ભ્રમણ કરી રહેલા આપણા આત્માને
પાંચ ઈન્દ્રિયો અને મન સહિતના આ ઉત્તમ શરીરમાં અમુક ચોક્કસ કાળ સુધી રહેવાનો જે પરવાનો પ્રાપ્ત થયો છે તે જ
આપણને મળેલો મનુષ્યભવ છે. પ્ર. ૨ઃ મનુષ્યભવને ઉત્તમ કેમ કહો છો? ઉ. : બીજાં શરીરો કરતાં આ શરીરમાં રહેલા આત્માઓમાં વિશેષ
પ્રકારે સત્ય-વિવેક પામવાની સગવડ છે તેથી તેને ઉત્તમ
કહીએ છીએ. પ્ર. ૩ઃ શું મનુષ્યભવને પામેલા બધા આત્માઓનું કલ્યાણ થાય છે? ઉ. : થાય વા ના પણ થાય. પ્ર. ૪: ક્યા મનુષ્ય-આત્માઓનું કલ્યાણ થાય? ઉ. : જેઓ સત્ય પુરુષાર્થ દ્વારા સદ્ગુરુ-સન્શાસ્ત્ર આદિથી પોતાનું
સાચું સ્વરૂપ જાણવાનો ઉદ્યમ કરે અને સાચી શ્રદ્ધા, સાચા
જ્ઞાન અને સાચા આચરણને સેવે તેમનું કલ્યાણ થાય. પ્ર. પઃ ક્યા મનુષ્ય-આત્માઓનું કલ્યાણન થાય? ઉ. : જે મનુષ્યો આળસ, ઊંઘ, અન્યની નિંદા, હિંસાદિ
પાપભાવોમાં જતન્મય થઈ જાય અને સત્સંગ સદ્વિચારને સેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org