________________
સંવર જેનાથી કર્મબંધ અટકે તે સંવર. ભાવ સંવર અને ભાવ નિર્જરા આત્માના પરિણામરૂપ છતાં આશ્રવ નિરોધની અપેક્ષાએ સંવર અને કર્મ નિર્જરાની અપેક્ષાએ નિર્જરા ગણાય.
તે-૫ સમિતિ + ૩ ગુપ્તિ + ૨૨ પરીસહ + ૧૦ યતિધર્મ + ૧૨ ભાવના + ૫ ચરિત્ર = ૫૭ ભેદે સંવર. ૫ સમિતિ (સમ્યક ઉપયોગવાળી પ્રવૃત્તિ) - ૧ ઇર્યાસમિતિ-ધુંસરા પ્રમાણ દષ્ટિએ ચાલતાં માર્ગમાં કોઈ જીવની વિરાધના ન થાય એનો ઉપયોગ. ૨. ભાષાનિઃશંકહૃદયે નિરવંદ્ય અને સ્વપરહિતકારી બોલવાનો ઉપયોગ. ૩ એષણાઆહાર, વસ્ત્ર, પાત્ર, મુકામ વગેરે ધર્મ સામગ્રી મેળવવા-ભોગવવામાં નિર્દોષતા સાચવવી તે. ૪. આદાનનિક્ષેપ - સારી રીતે જોઈ પ્રમાર્જીનેજ વસ્તુ લેવા મૂકવાનો ઉપયોગ. ૫ પારિષ્ઠાપનિકાઇ - નિર્જીવ ભૂમિ પર લઘુનીતિ વડી નીતિ વગેરે તજતા જીવરક્ષાનો ઉપયોગ. ૩ ગુપ્તિ - મનવચન અને કાયાના યોગોનું નિયમન અર્થાત અકુશલ યોગનો નિરોધ અને પ્રશસ્ત યોગનું ઉદીરણ-શાસ્ત્ર વિધિએ મોક્ષમાર્ગમાં સ્થાપન કરવાવાળું ઉન્માર્ગથી. નિવારણ - ૨૨ પરીસહ - કર્મનિર્જરાના અને રત્નત્રયની નિશ્ચલતાના હેતુએ હર્ષ, ખેદ કે અસંયમની ઇચ્છા કે પ્રવૃત્તિ કર્યા વિના શાંતિથી સહવા યોગ્ય સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ (ડાંસ-મચ્છ૨), અચેલ (જીર્ણ કે અલ્પવસ્ત્રતા, નગ્નતા), અરતિ (તેવા મુકામ આદિને
Jain Education International
For Privatlersonal Use Only
www.jainelibrary.org