SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ કે, અનિત્ય પદાર્થો અને અશુદ્ધ વિષયોમાં વિષમ પરિણામ થયા જ કરે છે, ઇષ્ટ-અનિષ્ટ રીતે બુદ્ધિ વર્યા કરે છે. તે પરિણામ સમ થયે, શાંત થયે, રાગદ્વેષ રહિત થયે જ તત્ત્વ પ્રાપ્તિ થાય છે. માટે વિષયાસક્ત જીવોને મતિ-પ્રજ્ઞા કે પુતજ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય, વિદ્વત્તા કેળવી હોય, તો પણ તેને તે આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી નહીં થતી હોવાથી તળેલો યોગ અયોગ થઇ જાય છે, ન મળ્યા બરાબર થાય છે, નિષ્ફળ જાય છે, નકામો જાય છે. વિષય =વિષય. વિષ એટલે ઝેર. યા એટલે જવું. ઝેર પ્રત્યે લઇ જાય તે વિષય. પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયો તથા ૨૪૦ (૨૫૨) વિકારો છે. દિગમ્બર આમ્નાયના શાસ્ત્રોમાં, ઇન્દ્રિયના વિષયો ૨૭ કહ્યા છે. શ્રી કાર્તિકેય સ્વામી તો ૨૮મું મન પણ ગણે છે (ઇન્દ્રિયના વિષયો વત્તા અનીન્દ્રિય એવું મન). એક એક ઇન્દ્રિયનો વિષય જીવને કેટલું રઝળાવે છે તે આપણે તિર્યંચ જાતિનાં દૃષ્ટાંતથી શ્રી શિ.રા.મિશ્રા રચિત કાવ્યમાં વિચારીએ તો, હરિગીત સ્પર્શેન્દ્રિય રસેન્દ્રિય લેવા કરિના દાંત વનમાં, વાંસ તૃણ ખાડે ધરે, દરિયે જઇને માછીમારો, કાંટે લગાડી ભક્ષ કંઇ, ખોટી બનાવી હાથણી, લોકો ઊભી સામે ધરે; નાખે પછી જળમાં બિચારું, જાણતું છળકપટ નહીં; હાથી મરે ખાડે પડી, જ્યાં સ્પર્શવાને જાય છે, ખાવા જતાં રસથી મરે કાંટા મુખે ઘોંચાય છે, માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે? માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે? ધ્રાણેન્દ્રિય લોભાઇ મધુકર ગંધ ગ્રહવા, કમળ પર બેસી રહે, સાંજે બીડાયે પદ્મ તો યે, એ નીકળવા ન ચહે; આવી કરિ ખાયે કમળ ત્યાં, મધુકર અરે ભક્ષાય છે, માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે ? ચક્ષરીન્દ્રિય શ્રોત્રેન્દ્રિય દીવા તણું અતિ રૂપ જોઇ, પતંગનું મનડું ભમે, વનમાં શિકારી જાય છે ને મધુર ગીતો ગાય છે, હાથે લઇ દીવો કહો, કોને કૂવે પડવું ગમે? જાયે હરણ પાસે સુણીને, શબ્દમાં લોભાય છે; જાણે છતાં દીવે બળી, વિષયી પતંગી મરાય છે, મારે શિકારી બાણ તાણી, રંક હરણ હણાય છે, માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે? માટે વિચારો માનવી કે, વિષયથી શું થાય છે ? શ્રી ચિદાનંદજી મહારાજ પણ કહે છે કે, એક એક આસક્ત જીવ એમ, નાના વિધ દુઃખ પાવે રે; વિષય વાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે. પંચ પ્રબલ વર્તે નિત્ય જાકું, તાકું કહા જવું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમાં રહીએ રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy