SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ બુધવાર, કા. સુદ - ૯, ૧૭-૧૧-૯૯. ગુરુનો પરિવાર તે ગચ્છ. ત્યાં રહેનારને વિપુલ કર્મનિર્જરા થાય. કારણકે ત્યાં વિનય વિકસે છે, સારણા-વારણાદિ મળે છે. તેથી દોષો દૂર થાય છે. તેમનો વિનય જોઈ નવા પણ તે શીખે. આથી તેની પરંપરા ચાલે. આ ખૂબ મોટો લાભ છે. બીજાની આરાધનામાં કારણ બનવું અતિપ્રશસ્ત લાભ છે. ૧) સારણા – સ્મારણા = યાદ કરાવવું. = પડિલેહણ વગેરે કોઈપણ વાત યાદ કરાવવી. ૨) વારણા – નિષેધ કરવો. અશુભ પ્રવૃત્તિથી બીજાને અટકાવવો. ૩) ચોયણા – ચોદના – પ્રેરણા. બીજાને ઉંચા ગુણસ્થાનકે ચડવા પ્રેરણા આપવી. જે જે ગુણની યોગ્યતા દેખાય તેમાં પ્રેરણા આપવી. ૪) પડિચોયણા – પ્રતિચોદના – પ્રતિપ્રેરણા ઃ અયોગ્ય વર્તનથી ન અટકે તો તાડનાદિનો પણ પ્રયોગ કરવો. આ ચારેય વાત ગચ્છમાં જ હોઈ શકે. ગચ્છનો આ બહુ મોટો લાભ છે. ગચ્છમાં એક-બીજા સહાયક બનવાથી મોક્ષ નિકટ બને છે. આદિનાથ ભગવાનના જીવે પૂર્વભવમાં જીવાનંદ વૈદ્ય તરીકે પાંચ મિત્રો સાથે કેવી કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International For Private & Personal Use Only ૪૮૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy