SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. સંવાસ (સાથે રહેવું.) શિષ્ય અયોગ્ય જણાતાં ઉત્તર – ઉત્તરના કાર્યો નહિ કરાવવા, તેને ઉત્પ્રવ્રુજિત કરવો. * કેટલા વર્ષના પર્યાયવાળાને ક્યું સૂત્ર ભણાવાય? ૩ વર્ષના પર્યાયવાળાને – આચાર પ્રકલ્પ (નિશીથ) ૪ વર્ષના પર્યાયવાળાને – સૂયગડંગ (પહેલા તો આચારાંગ સૂત્ર વડીદીક્ષા પહેલા ભણાવાઈ જતું.) ૫ વર્ષના પર્યાયવાળાને – દશા કલ્પ વ્યવહાર સૂત્ર (આજે કલ્પસૂત્રના જોગ ચાલે છે તે.) ૮ વર્ષના પર્યાયવાળાને – સ્થાનાંગ, સમવાયાંગ. ૧૦ વર્ષના પર્યાયવાળાને – વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી.) ૧૧ વર્ષના પર્યાયવાળાને – ખડ્ડિયા વિમાણ પવિભત્તી, આદિ પાંચ અધ્યયનો ૧૨ વર્ષના પર્યાયવાળાને – અરુણોવવાઈ, આદિ પાંચ અધ્યયનો ૧૩ વર્ષના પર્યાયવાળાને – ઉત્થાન શ્રુત આદિ પાંચ અધ્યયનો ૧૪ વર્ષના પર્યાયવાળાને – આશીવિષ ભાવના. ૧૫ વર્ષના પર્યાયવાળાને – દૃષ્ટિવિષ ભાવના. ૧૬ વર્ષના પર્યાયવાળાને – ચારણ ભાવના. ૧૭ વર્ષના પર્યાયવાળાને – મહાસુમિણ ભાવના. ૧૮ વર્ષના પર્યાયવાળાને – તેઓગિનિસગ્ગ ૧૯ વર્ષના પર્યાયવાળાને – ૧૨ મું દૃષ્ટિવાદ. ૨૦ વર્ષના પર્યાયવાળાને – બિંદુસાર સહિત સંપૂર્ણ. પ્રશ્ન ઃ આ તો સાધુનું આવ્યું. ૬૦ વર્ષથી ઉપરવાળા શ્રાવકે શું કરવું ? ઉત્તર : શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ ભાગ-૧, યોગશાસ્ત્ર ૪ પ્રકાશ, ૪ પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, આદિ ઘણું ઘણું છે. જેની ના નથી, એ તો ભણો. વળી, આ બધા જ આગમો સાંભળવાની તો છુટ જ છે. તુંગીઆનગરીના શ્રાવકો લદ્ધિઅટ્ઠા, ગહિઅટ્ઠા, કહેવાયા છે. ૧૧ અંગના પદાર્થો કંઠસ્થ હોય. ત્યાં જતા સાધુઓને પણ વિચારવું પડતું ઃ શું જવાબ આપીશું ? : કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International For Private & Personal Use Only ૪૨૯ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy