SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આપણી પ્રતિજ્ઞા તો ‘નાવનીવાણુ’ છે, એ ભૂલાય તે કેમ ચાલે ? ‘સ્વ’ એટલે આપણો પોતાનો ભાવ. સ્વભાવમાં રહીએ તેટલો સમય કર્મનો ક્ષય થતો જ રહે. પરભાવમાં રહેવું એટલે પોતાના આત્માને દુર્ગતિમાં ધક્કો મારવો. સ્વભાવમાં અસંક્લેશ, પરભાવમાં સંકલેશ. સંકલેશ એટલે સંસાર અસંકલેશ એટલે મોક્ષ. અસંકલેશમાં અહીં જ મોક્ષનો અનુભવ થાય, જીવન્મુક્ત દશાનો અનુભવ થાય. પ્રદેશ - પ્રદેશમાં આનંદનો અનુભવ થાય. ગીતામાં આવા યોગીને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. ગીતાના એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો જૈન મુનિને બરાબર ઘટે. વાંચવા જેવા છે એ લક્ષણો. એ લોકો સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. આપણે સ્વભાવ – દશા માટે પ્રયત્ન કરવાનો છે. મૂલત ઃ બન્ને વસ્તુ એક જ છે. સામાયિક સૂત્ર એ માટેનું સાધન છે. ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ શબ્દના શ્રવણથી ખૂની ચિલાતીપુત્રને સમતાભાવની પ્રાપ્તિ થઈ હતી. મુનિએ માત્ર ત્રણ જ શબ્દ સંભળાવેલા. પેલાએ તલવાર તાણીને કહેલું : ‘સાધુડા ! ધર્મ સંભળાવ, નહિ તો માથું કાપી નાખીશ.’ 'सामाइअस्स बहुहाकरणं तप्पुव्वगा समणजोगा ।' બધા શ્રમણના યોગો સામાયિકપૂર્વકના હોય છે. કોઈપણ સ્થાને સમતાભાવ ન જ જવો જોઈએ. પનીહારીઓનું ધ્યાન બેડામાં હોય, ભલે એ વાતો કરતી હોય, તેમ ગમે તેટલી પ્રવૃત્તિમાં મુનિનું મન સમતામાં હોય. ચોવીશેય કલાક એટલે તો ઓઘો સાથે રાખવાનો છે. સાથે રહેલો ઓઘો સતત યાદ કરાવે ઃ ‘હે મુનિ ! તારે સતત સમતામાં મહાલવાનું છે.’ ૩૩૪ Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.janelibrary.org.
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy