SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે કે જે ભવોભવ ન જાય. આ ત્રણના પ્રભાવથી જ ભગવાન જન્મજાત વૈરાગી હોય છે. પૂર્વભવના સંસ્કારો આ ભવમાં આવી શકતા હોય તો આ ભવના સંસ્કારો આગામી ભવમાં નહીં આવે ? આ ભવમાં હવે કેવા સંસ્કારો નાખવા છે ? તે તમારે વિચારવાનું છે. આ તીર્થમાં ઉત્તમ ભાવો પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. એ ભાવો સદા ટકી હે, જન્મ-જન્માંતરમાં સાથે ચાલે, તેને ‘અનુબંધ’ કહેવામાં આવે છે. નહિ ઉભા થયેલા શુભ ભાવોને પ્રભુ ઊભા કરે છે. ઊભા થયેલા ભાવોને ટકાવે છે. માટે જ પ્રભુ નાથ છે. પ્રાપ્તિ અને સુરક્ષા કરાવી આપે તે નાથ કહેવાય છે. મળેલા ગુણોનું સંવર્ધન અને સુરક્ષા પ્રભુ-નિર્દિષ્ટ ક્રિયાઓના પાલનથી થાય છે. કારણકે અત્યારે આપણા ગુણો ક્ષાયોપામિક ભાવના છે. વેપારી, જે દિવસે કમાણી ન થાય તે દિવસ વાંઝિયો ગણે, તેમ જે દિવસે શુભ ભાવની, ગુણની કમાણી ન થાય તે દિવસને વાંઝિયો ગણજો. * ‘સ્વ-પરાત્મવોધઃ’ આ ભક્તિની શોભા છે. ‘સ્વ’ અને ‘પર’ એટલે શું ? ‘સ્વ’ એટલે હું અને ‘પર’ એટલે તું ? માત્ર કુટુંબીજન ? નહિ, ‘સ્વ’ એટલે આત્મા અને ‘પર’ એટલે બીજી આખી દુનિયા – જડ-ચેતન બધું જ. જડ-ચેતનનો સાચો બોધ ત્યારે જ ગણાય, જ્યારે બધા જ સાથે ઉચિત વર્તન થાય. એ જ કરૂણા છે, એ જ અષ્ટપ્રવચન માતા છે. તીર્થંકરની અને આખા જગતની માતા એક જ છે ઃ કરૂણા ! * દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મ કર્મના આ ત્રણ પ્રકારો છે. દ્રવ્યકર્મ તે કાર્મણ વર્ગણા, ભાવકર્મ તે રાગદ્વેષ અને નોકર્મ તે શરીર-ઇન્દ્રિયો છે. આ ત્રણેય કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે. * વિરતિધરોમાં યોગ વ્યક્ત રૂપે હોય છે. સમ્યષ્ટિ વગેરેમાં યોગનું બીજ હોય છે. માટે જ યોગના ખરા અધિકારી વિરતિધરો મનાયા છે. * મુળપાવવત્ દ્રવ્યમ્ । આપણું આત્મદ્રવ્ય કેવું છે ? ગુણ – પર્યાયનો ખજાનો છે. * ૧લી માતા બીજી માતા કહે કલાપૂર્ણસૂરિ Jain Education International પ્રીતિ યોગ આપે. ભક્તિ યોગ આપે. For Private & Personal Use Only ૩૦૭ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy