SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ * એકાસણાની ટેવ કદી છોડતા નહિ. અમે વર્ષો સુધી એકાસણા કરેલા છે. અઠ્ઠાઈના પારણે પણ એકાસણા, બેસણા તો બહુ ૐ સમર્જાવટ પછી આવેલા. એક દીક્ષાર્થીએ પૂ. કનકસૂરિજીને કહેલું : બેઆસણાની છૂટ આપો તો આપની પાસે દીક્ષા લેવી છે. “મારે કોઈ શિષ્યનો મોહ નથી. પૂ. જીત વિ.ની મર્યાદા પ્રમાણે અહીં તો એકાસણા જ કરવાના છે.’’ પછી તેમણે બીજા સમુદાયમાં દીક્ષા લીધી. એકાસણાની પદ્ધતિથી ઘણા દોષોથી આપણે બચી જઈએ. સ્વાધ્યાય વગેરે માટે ખૂબ જ સમય મળી શકે. ભોજન વગર તનને તૃપ્તિ ન થાય. તેમ સ્વાધ્યાય વિના મનને તૃપ્તિ નથાય. * કોઈપણ ક્રિયા વખતે આનંદ આવે તો સમજી લેવું મન સ્થિર થઇ ગયું છે. તે વખતે પ્રભુ મળી ગયા છે, એમ માનજો. કારણકે પ્રભુ-મિલન વિના આનંદ ક્યાંયથી આવતો નથી. * મનની સ્થિરતાની ઘડીઓ ઘણી ઓછી હોય. છાપા વગેરે મનને વિક્ષિપ્ત કરનારા પરિબળો છે. વિ. સં. ૨૦૨૨માં ભૂજમાં કોઈ ભાઈએ મને કહેલું : તમે છાપા તો વાંચતા નથી. એ વિના વ્યાખ્યાનમાં તમે શું કહેશો ? વ્યાખ્યાનકારોએ તો ખાસ છાપ વાંચવા જોઈએ. મને એ મગજમાં બેસી ગયું. મેં છાપા વાંચવાનું શરૂ કર્યું; પણ મારું મન અનેકાનેક વિચારોથી ઘેરાઈને વિક્ષિપ્ત બનવા માંડ્યું. છાપા એટલે આખી દુનિયાનો કચરો ! મને લાગ્યું : આમાં મારું કામ નહિ. મેં છાપા વાંચવાનું બંધ કર્યું. લોકોને ગમે એવું નથી બોલવાનું. ભગવાનની વાત કહેવાની છે. જીવનમાં ભાવિત બનાવીને કહેવાની છે. એની અસર કોઈ જુદી જ પડે. પૂ. પ્રેમસૂરિજી. વ્યાખ્યાનકારોને કહેતા : અલ્યા, આમાં આગમની વાતો તો કાંઈ ન આવી. અમદાવાદમાં હું બે વાર વ્યાખ્યાન આપવા માંડ્યો. કોઈએ કહ્યું : બંધ કરો. એકવાર વ્યાખ્યાન બસ છે. લોકો કંઈ પામી જવાના નથી. બોલવાથી ઉર્જા ઘણી વપરાય છે. મૌનથી ઉર્જા બચે છે. એ વાત મોટી ઉંમરે સમજાય છે. કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International For Private & Personal Use Only ... ૧૭ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy