SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ - માનવિજયજી ઉપાધ્યાય, પાપ્રભ સ્તવન. પદસ્થ” એટલે નામરૂપ પદનું ધ્યાન. કર્મક્ષયથી મળતી વિદેહમુક્તિ છે. ભક્તિથી આ જ જીવનમાં મળતી મુક્તિ તે જીવન્મુક્તિ છે, ભક્ત એવી મુક્તિ અહીં જ અનુભવે છે. આ કાળમાં ન હોવા છતાં ભક્તને ભગવાને આ મુક્તિ (જીવન્મુક્તિ) આપવી પડે પછી ભક્ત ખુમારીથી કહી ઉઠે છે. હવે મને મોક્ષની પણ પવા નથી. મોક્ષોડતુવા માડતું” “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...” આ કાળમાં પણ ભક્તિ મુક્તિને ખેંચી શકે છે. ભક્ત બની જુઓ. મીરાં, નરસી વગેરેને એમના ભગવાન મળે તો આપણને ન મળે? યશોવિજયજી મ.ને મળે તો આપણને ન મળે? તીર્થ છે ત્યાં સુધી તીર્થકરને આંતરિક દેહથી અહીં રહેવું જ પડે છે, નામાદિથી એવું જ પડે છે. “નામાડડબ્રતિદ્રવ્યમાવૈ ” ચારરૂપથી ભગવાન સર્વત્ર સર્વદા સર્વને પવિત્ર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિ એમને એમ તો નહિ કહેતા હોય. “નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્ય ભવમાદિવસે, પણ નકસે કિસહિ.” - જ્ઞાનવિમલસૂરિ. આ શબ્દોને કદી તો ઊંડાણથી વિચારો. ભગવાનનું નામ કે “નમો અરિહંતાણં” આપણે સામાન્ય રીતે લઈએ છીએ. પણ ઉંડાણથી જુઓ તો એમાં જ ભગવાન દેખાશે. તમારા નામને ભૂલી જજો, ભગવાનના નામને નહિ ભૂલતા. પેલો શ્લોક યાદ છે ને? “મન્નમૂર્તિ સમવાય......” દસ હજારનો ચેક મળી ગયો એટલે દસ હજાર મળી જ ગયા, કહેવાય. ભગવાનનું કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy