SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ વઢ, ઇ-૯-૯૯, શ્રા. વ. ૧૦, * પિતા, પુત્ર જો વ્યસનોના રવાડે ચડે તો દુઃખી થયા વિના ન રહે. આપણે, જો દોષોના રવાડે ચડીએ તો આપણા પરમપિતા ભગવાન દુઃખી નહિબને? આપણે ભગવાનને આશ્રિત નથી બન્યા માટે જ દુઃખી બન્યા છીએ. ભગવાનનો આશ્રય નહિ કરીશું ત્યાં સુધી દુઃખી બનવાના જ. સ્વાતંત્ર્ય એટલે જ મોહનું પાતંત્ર્ય, એ હજુ જીવને સમજાતું નથી. મોહની આધીનતાથી છુટવા ભગવાનની પરાધીનતા સ્વીકારવી જ પડશે. ભગવાન કાંઈ તમને પરાધીન બનાવવા માંગતા નથી. બીજાની જેમ ભગવાન તમને પોતાનાવાડામાં કેદ કરવા માંગતા નથી, પણ વાસ્તવિક્તા એછેકે આવી પરાધીનતા વિના આપણો ઉદ્ધાર નથી. આને પરાધીનતા ન કહેવાય, પણ સમર્પણભાવ કહેવાય. * હરિભદ્રસૂરિને ઘણા કહેતાઃ તમે નવા - નવા પ્રકરણો રચો છો, તેથી લોકો તમારા પ્રકરણો જ વાંચશે, આગમાં મૂકી દેશે. મારા ગ્રંથોથી આગમો પરની રુચિ વધશે. આગમ-સાગરમાં પ્રવેશવાની આ તો નાવડીઓ છે. નાવડી સાગરથી વિરોધી શી રીતે હોઈ શકે?” હરિભદ્રસૂરિના આવા જવાબો હતા. * એક સાધુ જ આ જગતમાં એવો છે, જે સ્વયં દુર્ગતિથી બચી, બીજા પણ અનેકને બચાવે છે. તરવૈયો જેમ તરે અને તરાવે. ૨૧૪ ... .. કહે કલાપૂર્ણસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy