SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તરફ પ્રયાણ થયું. પ્રથમ ગોચનાદ મુકામે જ ગોળાની તકલીફ થતાં પૂ. બાપજી મ. તરફથી ના આવતાં સાંતલપુર ચાતુર્માસ નક્કી થયું. રાધનપુરમાં ભદ્રસૂરિજીનું નક્કી થઇ ગયેલું. ભણવા માટે અમારું (કલાપ્રભ વિ., રત્નાકર વિ., દેવ, તરૂણ વિ. સાથે. બન્ને તોફાન કરે માટે એક કલ્પતરુ વિ.ને સાંતલપુર રાખ્યા.) ચાતુર્માસ રાધનપુર થયું. ત્યાં જ હરગોવનદાસ પંડિતજીના કહેવાથી પાઠશાળામાં વ્યાખ્યાન શરૂ થયા. (કલાપ્રભ વિ. ના પણ વ્યાખ્યાન ત્યાં શરૂ થયા.) પર્યુષણમાં પણ ત્રણ દિવસ વ્યાખ્યાન આપ્યા. પછી માત્ર માંડવી સં. ૨૦૧૩, અને આધોઈ સં. ૨૦૧૬, આ બે જ ચાતુર્માસ પૂ. આ. શ્રીની નિશ્રામાં મળ્યા, પણ અંતરના આશીર્વાદ પૂરા મળ્યા. ભગવાન જ બધું ભલું કરશે, આ વાત પર પૂરો ભરોસો. * ભોજનમાં તૃપ્તિની શક્તિ કે આપણામાં ? પાણીમાં તરસ છીપાવવાની શક્તિ કે આપણામાં ? જો આપણામાં જ હોય તો ફોતરાં ખાઈને, પેટ્રોલ પીને ભૂખ-તરસ છીપાવો. થઈ શકે એવું ? તમારામાં જ મુક્તિ માટેની શક્તિ હોય તો ભગવાન વિના જ સાધનામાં આગળ વધો. થઇ શકે એવું ? તૃપ્તિમાં જેમ ખોરાક પુષ્ટ કારણ.. છે, તેમ મુક્તિમાં ભગવાન પુષ્ટ કારણ છે. બિલાડી કે વાનરીના બચ્ચા બનીને જાવ, ભગવાન પાસે. ભગવાન બધું સંભાળી લેશે. કહે કલાપૂર્ણસૂરિ .... Jain Education International For Private & Personal Use Only . ૧૯૫ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy