SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજીને ભગવાન તરીકે સંબોધ્યા છે. આપણા માટે આવા ગ્રંથો સાચે જ ભગવાન બનીને આવે છે. જિનાગમ પણ જિનસ્વરૂપ છે. આજના યુગમાં જિનાગમ બોલતા ભગવાન છે. મૂર્તિ તો હજુ બોલતી નથી. આગમ બોલે છે. * પ્રતિમા અનફર બોધ આપે છે, માત્ર ઈશારાથી સમજાવે છે. આગમ અક્ષર બોધ આપે છે. પ્રતિમાના ઈશારા, પ્રતિમાનો સંકેત આપણે સમજી શકીશું? તેઓની મુદ્રા કહે છે : મારી જેમ પદ્માસન લગાવી સ્વમાં એકાગ્ર બનો. ઉપયોગવંત બનો. ક્રિયામાં ઉપયોગ ભળશે ને તરત જ અમૃતનો રસાસ્વાદ મળશે. જેટલા ગુણો ભગવાનના છે, તે બધા જ આપણને આપવા માટે છે. "न विकाराय विश्वस्योपकाशयैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूष - वृष्टयस्तत्त्व दृष्टयः ।। - જ્ઞાનસાર પિનિ નદી સ્વયમેવ નાW: ... परोपकाराय सतां विभूतयः ।। તમને જે મળેલું છે તે બીજાને આપો. આ શાસનના પ્રભાવે જે ગુણ-શક્તિ આદિ મળ્યા છે તો શાસન માટે વાપરે. વ્યાખ્યાન, વાચના, પાઠ, લેખન, અધ્યાપન વગેરેકોત્યારેઋણમુક્તિની ભાવના કેળવજો. “હું ઉપકાર કરું છું એમ નહિ માનતા. હરિભદ્રસૂરિ દરેક ગ્રંથને અંતે લખતા આ ગ્રંથદ્વારા જગતના જીવો દોષમુક્ત બનો. જેથી હું ઋણમુક્ત બનું. કહે કલાપૂર્ણસૂરિ ....... •. ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy