SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Íત, ૨૧-૮-૯૯, શ્રા. સુદ-૧૦. અલ્પ સંસારીને પ્રભુની વાણી – આજ્ઞા ગમે છે, તે મુજબ જીવન જીવવાનું ગમે છે. આ જ મોક્ષનો સાચો ઉપાય છે. આજ્ઞાખંડન એ જ ભવભ્રમણનો હેતુ છે. કર્મબંધનો મુખ્ય હેતુ આજ્ઞાવિરાધના જ છે. * પ્રમાદ નહિ અપ્રમાદ, શુભયોગો, સભ્યત્વવગેરે આવે તો આપણી પ્રયાણની દિશા બદલાઈ જાય, મોક્ષની દિશા આવી જાય. પહેલાનો અવળો પુરુષાર્થ સવળો પુરુષાર્થ બની જાય. કર્મો બાંધવા – ભોગવવામાં પુરુષાર્થ હોય જ છે, પણ એ હવે કેવો કરવો? એ નક્કી કરવાનું છે. હું કહું છું કે પુરુષાર્થ કરવો જ છે તો અવળો શા માટે કરવો? સવળો શા માટે ન કરવો? “આ કરવું, આ નહિ, ઈત્યાદિ ઝીણી-ઝીણી વાતોનો ઉપદેશ એટલે આપ્યો છે કે આપણે વક્ર અને જડ છીએ. નટનો નિષેધ ર્યો હોય તો નટીનું નાટક જોનારા અને વળી પાછા પ્રેરક ગુરુને તોડનારા આપણે છીએ ! જેટલી વક્રતા અને જડતા વધુ તેટલો વિધિનિષેધનો ઉપદેશ વધુ! માણસજેટલો જંગલી અને અસભ્ય, કાયદા-કાનૂન તેટલા જ વધુ! વધતા જતા કાયદા, માણસની વધતી જતી અસભ્યતાને બતાવે છે, વિકાસને નહિ. કહે કલાપૂર્ણસૂરિ ..... Jain Education International ... ૧૬૭ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy