SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એની શક્તિને જગવો. એ સૂતેલો સિંહ છે. જાગ્યા પછી કોઈ એની સામે ટકી ના શકે. ૧૫૮ પ્રકૃતિઓ ભલે ગમે તેટલી બળવાન લાગતી હોય, પણ એ ત્યાં સુધી જ બળવાન છે, જ્યાં સુધી આત્મસિંહ સૂતેલો છે. સિંહ ગર્જના કરે અને છલાંગ ભરે પછી બકરીઓ ક્યાં સુધી ટકે? * નેપોલીયને એક વખતે લશ્કરને ઓર્ડર ર્યો : “શત્રુનો ભય છે. લશ્કરી છાવણીમાં કોઈએ લાઈટ કરવી નહિ.’' પછી સ્વયં જોવા નીકળ્યો. મોટો વડો જ લાઈટ સળગાવી પ્રિયાને પત્ર લખી રહ્યો હતો. નેપોલીયને કહ્યું ઃ તમને ખબર નથી આજે શાનો ઓર્ડર છે ? હુકમનો અનાદરો ? પ્રિયાને પત્ર લખ્યો ને ? હવે એમાં નીચે લખો ઃ ‘મેં મારા માલિકની આજ્ઞાનું ખંડન ર્યું. તેથી માલિક મને હમણાં જ ગોલીથી ઉડાવી દેશે. આ છેલ્લી પંક્તિ છે.’’ : અને... સાચે જ નેપોલીયને પેલા લશ્કરી વડાને ગોલીથી વીંધી નાંખ્યો. એક સામાન્ય સમ્રાટ્ની આજ્ઞાનો અનાદર આવું ફળ આપે તો તીર્થંકરની આજ્ઞાનો અનાદર શું ફળ આપે ? તે કલ્પના કરી લો. આજ્ઞામાં અવરોધરૂપ મોટાભાગે આપણો પ્રમાદ જ હોય છે, એ ભૂલશો નહિ. આપણું જીવન પ્રમાદ – બહુલ છે. પ્રમાદ પાંચ પ્રકારનો તો ઘણીવાર સાંભળ્યો. ક્યારેક આઠ પ્રકાર બતાવીશ. ભક્તિ આ વિષમકાળમાં જો પ્રભુ-ભક્તિ મળી ગઈ તો સમજી લેજો ઃ ભવ – સાગરનો કિનારો આવી ગયો. ‘‘એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય...’’ ‘ફ્લોવિ નમુક્કાશે...’’ એકવાર પણ પ્રભુની ઝલક મળી જાય તો જીવન સફળ...! ભગવાનના દર્શન પણ તેને જ મળે, જેને વિચ્ડનો ઉકળાટ હોય. વિરહ જેટલો ઉત્કટ, મિલન તેટલું જ મધુર...! તરસ જેટલી ઉત્કટ, પાણી તેટલું જ મધુર ! ભૂખ જેટલી ઉત્કટ, ભોજન તેટલું જ મધુર ! ‘દરિસણ ઇરિસણ રટતો જો ફિરું... તો રણરોઝ સમાન...' આનંદઘનજીની આ ૧૬૨ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy