SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. * દોષ આપણો છે, પણ આપણે દોષનો ટોપલો પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પર ઢોળી દીધો. કેટલારહસ્યભર્યા પવિત્ર સૂત્રો છે આબધા! યોગગ્રંથો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. યોગગ્રંથો વાંચવાથી આપણને એ ક્રિયા વગેરે પર ખૂબ જ આદર વધશે. * તીર્થકર-ગળધર-પ્રસાતાર્ ઉષ યોઃ મૃતતું કોઈપણ અનુષ્ઠાનના અંતે આપણે આમ કહીએ છીએ. સિદ્ધયોગીઓના સ્મરણથી પણ અનુષ્ઠાન સિદ્ધ થાય છે. * એક વખત પણ કોઈ યોગમાં સ્થિરતા આવી, સ્થિરતાજન્ય આનંદ આવ્યો તો એ અનુષ્ઠાન તમે કદી નહિ ભૂલો. એ આનંદને વારંવાર મેળવવા વારંવાર લલચાશો. નવકારએમને એમ બોલો અને જાપ કરીને બોલો. બન્નેમાં ફરક પડશે. જીવનમાં ઉતારીને નીકળતો શબ્દ અસરકારક હોય છે. * પરિષહ બે પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ ઉપસર્ગ ખતરનાક છે. કારણ કે અનુકૂળતા આપણને ખૂબ જ ગમે છે. અનુકૂળતા એ ઉપસર્ગ છે, એવો કદી વિચાર જ નથી આવતો. મહાપુરુષો સામેથી પ્રતિકૂળતા ઊભી કરતા જ્યારે આપણે નિરંતર અનુકૂળતાની શોધમાં છીએ. પૂર્વમહર્ષિઓ દવા કે ઈલાજ નહોતા કરાવતા... કારણ કે પ્રતિકૂળતા જ એમને ઈષ્ટ હતી. મદ્રાસની માંદગીમાં એવી સ્થિતિ હતી કે બધું જ ભૂલાઈ ગયેલું. પ્રતિક્રમણ વગેરે તો બીજા જ કરાવે. પણ મુહપત્તીના બોલ સુદ્ધાં ભૂલાઈ ગયેલા. એ પણ બીજા બોલતા. પણ ભગવાને મને ફરીથી તૈયાર કરી દીધો. શી રીતે ભૂલાય એ ભગવાનને? અત્યારે હું વાચના, તમારા માટેનહિ, મારા માટે આપું . મારું પાકુંચડે ભવાંતરમાં મારે આ બધું સાથે લઈ જવું છે. * સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન -આ પાંચેય યોગો ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ -એમ ૪-૪ પ્રકારે છે. ઈચ્છા તેવા યોગીઓની વાતોમાં પ્રેમ. કહે કલાપૂર્ણસૂરિ .. * , ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy