SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ર્થાને, ૧૪-૮-૯૯, શ્રા. સુદ-૩. * દેવોની જેમ અસંખ્યાત વર્ષનું આયુષ્ય નહોતું હરિભદ્રસૂરિજીનું, આપણા જેટલું જ હતું. કાર્ય પણ શાસનના, સંઘના, વ્યાખ્યાનના, વિહારાદિના કરતા જ હતા. છતાં અલ્પ જીંદગીમાં એમણે જે વિરાટ કાર્ય કર્યું છે તે જોઈને મસ્તક ઝૂકી પડે છે, એમના ચરણોમાં. G ‘‘શ્રાવક કરતાં અમારું જીવન સારું ! કમ સે કમ ભીખ તો નથી માંગતા અમે. અહીં અમે દાન-પુણ્યાદિ કરીએ છીએ. વળી, ત્યાં લોચાદિના કેટલા બધા કષ્ટો ?’’ આવું વિચારનારો વર્ગ પહેલા હતો તેમ નહિ, આજે પણ છે. આપણે સાધુઓ પણ ક્યારેક અણગમો થવાથી વિચારીએ છીએ : આના કરતાં તો દીક્ષા ન લીધી હોત તો... આવા વિચારોથી ભવાંતરમાં પણ ચારિત્ર ન મળે, એવું કર્મ આપણે બાંધી લઈએ છીએ. આપણે ઈચ્છીએ છીએ ઃ પેલાએ સ્વભાવ બદલાવવો જોઈએ. હું કહું છું : એ સંભવ નથી. આપણો સ્વભાવ આપણે બદલાવી શકીએ. એ આપણા હાથમાં છે. સૃષ્ટિ ન બદલાય. દૃષ્ટિ બદલી શકીએ. ગામ ન બદલાય. ગાડું બદલાવી શકીએ. પરિસ્થિતિ ન બદલાવી શકીએ. મનઃસ્થિતિ બદલાવી શકીએ. * બીજાને જે આપીએ તે આપણા માટે સુરક્ષિત બની ગયું સમજો. ધન, જ્ઞાન, સુખ, જીવન, મરણ, દુઃખ, પીડા વગેરે બધું જ. કહે કલાપૂર્ણસૂરિ ........... Jain Education International For Private & Personal Use Only ... ૧૪૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy