SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રાવકધર્મ, સાધુધર્મનો પૂર્વાભ્યારા છે. શ્રાવક ધર્મનું પાલન કરતો કરતો હું સાધુ ધર્મને યોગ્ય બનું, એવી શ્રાવકની ભાવના હોય. મંગળ, ૧૦-૮-૯૯, અષા. વદ-૧૪. * સંસારનું ચક્ર ચાલુ રહે છે – પ્રભુની આજ્ઞાના વિરાધનથી. સંસારનું ચક્ર અટકે છે – પ્રભુની આજ્ઞાના આરાધનથી. આશ્રવ સંસારનો, સંવર મુક્તિનો માર્ગ છે. આ ભગવાનની આજ્ઞા છે. નિઃશંક બનીને પ્રભુની આ આજ્ઞા પાલન કરનાર અવશ્ય સંસાર તરી જાય છે. * ચિત્તમાં સંકલેશ હોય ત્યાં સુધી સ્થિરતા નથી આવતી. સ્થિરતા ન આવવાના કારણે પ્રભુમાં મન લાગતું નથી. હિંસાદિના કારણે ગૃહસ્થોનું મન સંકિલષ્ટ રહે છે માટે જ સંયમનું સંપૂર્ણ પાલન થઈ શકતું નથી. જો થઈ શકતું હોત તો તીર્થંકરો કે ચક્રવર્તીઓ સંસારનો ત્યાગ કરત નહિ. આત્માના અનંત ખજાનાથી વંચિત રાખવાં જ મોહરાજાએ તમને એકાદ લાખ કે ક્રોડની લાલચ આપી છે. ૧૨૬ હિંસાથી ચિત્ત કલુષિત થાય. અહિંસાથી નિર્મળ થાય, હિંસા એટલે પર – પીડન ! પ્રમાદ પણ હિંસા... ખાસ કરીને સાધુ માટે. Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy