SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ā, ૭-૮-૯૯, અષા. વદ-૧૧, શાસ્ત્રના અધ્યયન વિના દેશ કે સર્વવિરતિ પાળી શકાય નહિ. માટે જ શાસ્ત્રનું અધ્યયન, નિદિધ્યાસન, ચિંતન અને ભાવન કરવું જરૂરી છે. ભાવન કોટિમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન આપણું બનતું નથી. જ્ઞાનાચારના ૮ આચારોમાં જ આનો નિર્દેશ છે. છેલ્લા ત્રણ આચાર ઃ સૂત્ર – અર્થ – તદુભય. સૂત્રથી શ્રુતજ્ઞાન અર્થથી ચિન્તાજ્ઞાન અને તદ્રુભયથી ભાવનાજ્ઞાન સૂત્રથી શબ્દજ્ઞાન, અર્થથી સમજણ અને તદ્રુભયથી જીવન સમૃદ્ધ બને. પ્રશ્ન : ‘જીવનમાં ઉતારવું' એ ચારિત્રાચારમાં ન આવે ? ઉત્તર ઃ જ્ઞાન તે જ સાચું કહેવાય જે આચરણમાં આવે. ચારિત્ર જ્ઞાનથી જુદું નથી. પરિણતિવાળું બન્યું તે જ્ઞાન જ ચારિત્ર છે. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...'' - જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ – દેવચન્દ્રજી, અધ્યાત્મ ગીતા. * ‘જિહાં લગે આતમ તત્ત્વનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું...’' – યશો વિ. ગુણઠાણું તાણવાથી મારી મચડીને નથી આવતું, વેષ પહેરવાથી નથી આવતું, તે માટે આત્મ- તત્ત્વનું લક્ષણ જાણવું પડે. સંયમ જીવન ઉત્તમ રીતે જીવવાની સ્કૂલ એટલે કહે કલાપૂર્ણસૂરિ -ઉપા. યશો વિ. મ. ૧૨ ૫ ગાથાનું સ્તવન. Jain Education International For Private & Personal Use Only ગુરુકુળવાસ. આવું જાણ્યા ... ૧૧૫ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy