SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ બ્રૂમઃ। તવેવ થમ્ ? તિ શ્વેત્—— હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા भावाभावात्मकत्वाद्वस्तुनो निर्विषयोऽभावः ॥१२॥ 38. જે જ્ઞાન પ્રમાણ જ ન હોય તે કયા પ્રમાણની અંદર સમાવેશ પામે છે કે સમાવેશ નથી પામતું એ પ્રશ્નનો વિચાર કરવાનું કોઈ પ્રયોજન જ નથી, ઉદાહરણાર્થ અભાવજ્ઞાન. અભાવજ્ઞાન પ્રમાણ કેમ નથી ? તેનું કારણ એ છે કે અભાવજ્ઞાનનો કોઈ વિષય જ નથી. એમ કેમ ? તેનો ઉત્તર આચાર્ય નીચેના સૂત્રમાં આપે છે— વસ્તુ ભાવાત્મક પણ છે અને અભાવાત્મક પણ છે અર્થાત્ ભાવ-અભાવ ઉભયાત્મક છે એટલે અભાવજ્ઞાન નિર્વિષય છે. (૧૨) 39. नहि भावैकरूपं वस्त्वस्ति विश्वस्य वैश्वरूप्यप्रसङ्गात्, नाप्यभावैकरूपं नीरूपत्वप्रसङ्गात्; किन्तु स्वरूपेण सत्त्वात् पररूपेण चासत्त्वात् भावाभावरूपं वस्तु तथैव प्रमाणानां प्रवृत्तेः । तथाहि - प्रत्यक्षं तावत् भूतलमेवेदं घटादिर्न भवतीत्यन्वयव्यतिरेकद्वारेण वस्तु परिच्छिन्दत् तदधिकं विषयमभावैकरूपं निराचष्ट इति कं विषयमाश्रित्याभावलक्षणं प्रमाणं स्यात् ? । एवं परोक्षाण्यपि प्रमाणानि भावाभावरूपवस्तुग्रहणप्रवणान्येव, अन्यथाऽसङ्कीर्णस्वस्वविषयग्रहणासिद्धेः यदाह "अयमेवेति यो ह्येष भावे भवति निर्णयः । नैष वस्त्वन्तराभावसंवित्त्यनुगमादृते ॥ " કૃતિ । 39. વસ્તુ એકાન્તપણે ભાવરૂપ, સદ્રૂપ યા અસ્તિરૂપ નથી. જો તે એકાન્તપણે ભાવરૂપ જ હોય તો તે સર્વાત્મક બની જાય, તેનો બીજી કોઈ પણ વસ્તુથી ભેદ જ ન રહે. અને વસ્તુ એકાન્તપણે અભાવરૂપ, અસટ્રૂપ યા નાસ્તિરૂપ પણ નથી. જો તે એકાન્તપણે અભાવરૂપ જ હોય તો તે રૂપહીન, સ્વરૂપહીન, નિઃસ્વભાવ બની જવાની આપત્તિ આવે. તેથી પ્રત્યેક વસ્તુ સ્વરૂપથી સત્ છે, અસ્તિત્વ ધરાવે છે અને પરરૂપથી અસત્ છે, અસ્તિત્વ ધરાવતી નથી, તેથી તે ભાવાભાવાત્મક છે અને આવી ભાવઅભાવ ઉભયરૂપવાળી વસ્તુને જ પ્રમાણો જાણે છે, વિષય કરે છે. [જો પ્રમાણો કેવળ ભાવરૂપ વિષયને જાણે કે કેવળ અભાવરૂપ વિષયને જાણે તો તે પ્રમાણ જ ન રહે કારણ કે વસ્તુ ભાવાભાવાત્મક હોવાથી કેવળ ભાવરૂપ વિષય અવસ્તુ છે કે કેવળ Jain Education International [તાોવા. અભાવ. રત્નો. ૧] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy