SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા व्यभिचारिणोपि परोक्षस्य दर्शनादप्रामाण्यंमिति चेत्; प्रत्यक्षस्यापि तिमिरादिदोषादप्रमाणस्य दर्शनात् सर्वत्राप्रामाण्यप्रसङ्गः । प्रत्यक्षाभासं तदिति चेत्; इतरत्रापि तुल्यमेतदन्यत्र पक्षपातात् । धर्मकीर्त्तिरप्येतदाह ૮૨ "प्रमाणेतरसामान्यस्थितेरन्यधियो गतेः । प्रमाणान्तरसद्भावः प्रतिषेधाच्च कस्यचित् ॥ १ ॥ अर्थस्यासम्भवेऽभावात् प्रत्यक्षेऽपि प्रमाणता । प्रतिबद्धस्वभावस्य तद्धेतुत्वे समं द्वयम् " ॥ २ ॥ इति । છેવટે તમારું પ્રત્યક્ષને પ્રમાણ માનવા 36. હેમચન્દ્રાચાર્ય ચાર્વાકને પૂછે છે માટેનું કારણ શું છે ? - ચાર્વાક તે કારણ એ છે કે તે અર્થવ્યભિચારી છે અર્થાત્ અર્થ હોતાં તે ઉત્પન્ન થાય છે અને અર્થ ન હોતાં તે ઉત્પન્ન થતું નથી. — હેમચન્દ્રાચાર્ય · પરંતુ આ અર્થવ્યભિચાર તો અવિનાભાવી લિંગથી ઉત્પન્ન થનારા પરોક્ષરૂપ અનુમાનમાં તેમજ અર્થપ્રતિબદ્ધ શબ્દથી ઉત્પન્ન થનારા પરોક્ષરૂપ શાબ્દ જ્ઞાનમાં પણ છે જ. તો પછી તેમને તમે ચાર્વાકો પ્રમાણ કેમ નથી માનતા? ચાર્વાક · તેનું કારણ આપીએ છીએ. આ અનુમાનરૂપ, શાબ્દરૂપ કે અન્ય પરોક્ષ જ્ઞાનોને વ્યભિચારી એટલે કે અર્થ વિના પણ ઉત્પન્ન થતાં દેખીએ છીએ તેથી પરોક્ષ જ્ઞાનોને અમે પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. ― — હેમચન્દ્રાચાર્ય — કેટલાંક પરોક્ષ જ્ઞાનો વ્યભિચારી (અપ્રમાણ) હોવાથી બધાં જ પરોક્ષ જ્ઞાનોને વ્યભિચારી (અપ્રમાણ) માનશો તો તમારે ચાર્વાકે સમાન ન્યાયે કેટલાંક પ્રત્યક્ષ જ્ઞાનો (જેવાં કે તિમિર આદિ દોષોને કારણે ઉત્પન્ન થતાં પ્રત્યક્ષ જ્ઞાનો) વ્યભિચારી (અપ્રમાણ) હોવાથી બધાં જ પ્રત્યક્ષ જ્ઞાનોને વ્યભિચારી (અપ્રમાણ) માનવા પડશે અને પરિણામે તમારા માટે પ્રત્યક્ષપ્રમાણનો પણ અસંભવ થઈ જશે. ――― ચાર્વાક જેને તમે વ્યભિચારી પ્રત્યક્ષ કહ્યું તે ખરેખર પ્રત્યક્ષ જ નથી. તે તો પ્રત્યક્ષાભાસ છે. પ્રત્યક્ષ તો હમેશા પ્રમાણ જ હોય છે. એટલે તમે જે કહ્યું કે કેટલાંક પ્રત્યક્ષો વ્યભિચારી હોય છે તે અમને ચાર્વાકોને માન્ય નથી. જે વ્યભિચારી હોય છે તે પ્રત્યક્ષો નથી, પ્રત્યક્ષાભાસો છે. ત્યક્ષો વ્યભિચારી હોતાં જ નથી. ―――――― હેમચન્દ્રાચાર્ય - આ જે તમે કહ્યું તે બધું સમાનપણે પરોક્ષ જ્ઞાનોને પણ લાગુ પડે છે. તેથી પ્રત્યક્ષપ્રમાણની જેમ પરોક્ષપ્રમાણ પણ ચાર્વાકે સ્વીકારવું જોઈએ. પરંતુ તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy