SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ८ જૈનેન્દ્ર-વ્યાકરણ (પંચાધ્યાયી) : આ વ્યાકરણના કર્તા દેવનન્દિ દિગંબર-સંપ્રદાયના આચાર્ય હતા. તેમના પૂજ્યપાદ અને જિનેન્દ્રબુદ્ધિ એવાં બીજા બે નામ પણ પ્રચલિત હતા. તેમને ‘દેવ’ના સંક્ષિપ્ત નામથી પણ લોકો ઓળખતા હતા. તેમણે ઘણા ગ્રંથોની રચના કરી છે. લક્ષણશાસ્ત્રમાં દેવનંદિને ઉત્તમ ગ્રંથકાર માનવામાં આવે છે. તેમનો સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દી છે. બોપદેવે જે આઠ પ્રાચીન વૈયાકરણોનો ઉલ્લેખ કર્યો છે, તેમાંના એક જૈનેન્દ્ર પણ છે. આ દેવનન્દિ કે પૂજ્યપાદ વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન હતા તેવું વિદ્વાનોનું મંતવ્ય છે. જ્યાં સુધી જાણી શકાયું છે ત્યાં સુધી જૈનાચાર્યો દ્વારા રચવામાં આવેલા મૌલિક વ્યાકરણોમાં ‘જૈનેન્દ્ર-વ્યાકરણ’ સર્વપ્રથમ છે. ૪ ૧. યશઃ ઋત્તિર્યશોનન્ટ્રી હેવનન્વી મહામતિઃ । श्रीपूज्यपादापराख्यो गुणनन्दी गुणाकरः ॥ --- લાક્ષણિક સાહિત્ય · નન્દીસંધપટ્ટાવલી ૨. એક જિનેન્દ્રબુદ્ધિ નામના બોધિસત્ત્વદેશીયાચાર્ય અથવા બૌદ્ધ સાધુ વિક્રમની ૮મી શતાબ્દી દરમ્યાન થયા હતા, તેમણે ‘પાણિનીય વ્યાકરણ’ની ‘કાશિકાવૃત્તિ’ પર એક ન્યાસગ્રંથની રચના કરી હતી, જે ‘જિનેન્દ્રબુદ્ધિ-ન્યાસ' નામથી પ્રસિદ્ધ છે. પરંતુ આ જિનેન્દ્રબુદ્ધિ તેમનાથી ભિન્ન છે. આ તો પૂજ્યપાદનું નામાન્તર છે, જેમના વિષે આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : Jain Education International 'जिनवद् बभूव यदनङ्गचापहृत् स जिनेन्द्रबुद्धिरिति साधु वर्णितः ।' -શ્રવણ બેલગોલનો સં. ૧૦૮ (૨૮૫)નો મંગરાજકવિ (સં. ૧૫૦૦) કૃત શિલાલેખ, શ્લોક ૧૬. ૩. ‘પ્રમાળમઙ્ગસ્થ પૂષપાસ્ય લક્ષણમ્' । —ધનંજયનામમાલા, શ્લોક ૨૦, 'सर्वव्याकरणे વિપશ્ચિધિપ: શ્રીપૂગ્યવાવઃ સ્વયમ્ ।’; ‘શબ્દાથ યેન (પૂખ્યપાલેન) સિન્તિ ।' ——આ બધાં પ્રમાણ તેમના મહાવૈયાકરણ હોવાનાં પરિચાયક છે. ૪. નાથૂરામ પ્રેમી : ‘જૈન સાહિત્ય ઔર ઈતિહાસ’ પૃ. ૧૧૫-૧૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy