SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કોશ ૯૧ આચાર્ય હર્ષકીર્તિસૂરિ વ્યાકરણ અને વૈદ્યકમાં નિપુણ હતા. તેમના નિમ્નોક્ત ગ્રંથો છે : ૧. યોગચિંતામણિ, ૨. વૈદ્યકસારોદ્વાર, ૩. ધાતુપાઠ, ૪. સે-અનિકારિકા, ૫. કલ્યાણ મંદિરસ્તોત્ર-ટીકા, ૬. બૃહસ્થતિસ્તોત્ર-ટીકા, ૭. સિંદૂરપ્રકર, ૮. શ્રુતબોધ-ટીકા આદિ. શબ્દરત્નાકર : ખરતરગચ્છીય સાધુસુંદરગણિએ વિ. સં. ૧૬૮૦માં “શબ્દરત્નાકર' નામક કોશગ્રંથની રચના કરી છે. સાધુસુંદર સાધુ કીર્તિના શિષ્ય હતા. શબ્દરત્નાકર પદ્યાત્મક કૃતિ છે. તેમાં છ કાંડ- ૧. અહતું, ૨. દેવ, ૩. માનવ, ૪. તિર્યક, ૫. નારક અને ૬. સામાન્ય કાંડ – છે.' આ ગ્રંથના કર્તાએ “ઉક્તિરત્નાકર' અને ક્રિયાકલાપવૃત્તિયુક્ત “ધાતુરત્નાકર'ની રચના પણ કરી છે. તેમનું જેસલમેરના કિલ્લામાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથ-તીર્થકરની સ્તુતિરૂપ સ્તોત્ર પણ પ્રાપ્ત થાય છે. અવ્યયૅકાક્ષરનામમાલા : મુનિ સુધાકલશગણિએ “અવ્યયંકાક્ષરનામમાલાનામક ગ્રંથ ૧૪મી શતાબ્દીમાં રચ્યો છે. તેની ૧ પત્રની ૧૭મી શતાબ્દીમાં લખાયેલી પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં વિદ્યમાન છે. શેષનામમાલા : ખરતરગચ્છીય મુનિ શ્રી સાધુકીર્તિએ શેષનામમાલા” કે “શેષસંગ્રહનામમાલા” નામક કોશગ્રંથની રચના કરી છે. તેમના જ શિષ્યરત્ન સાધુસુંદરગણિએ વિ.સં. ૧૬૮૦માં ‘ક્રિયાકલાપ' નામક વૃત્તિયુક્ત “ધાતુરત્નાકર', “શબ્દરત્નાકર' અને “ઉક્તિરત્નાકર' નામના ગ્રંથોની રચના કરી છે. મુનિ સાધુકીર્તિએ યવનપતિ બાદશાહ અકબરની સભામાં અન્યાન્ય ધર્મપંથોના પંડિતો સાથે વાદ-વિવાદમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેથી બાદશાહે તેમને ૧. આ ગ્રંથ યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગરથી વી.સં. ર૪૩૯માં પ્રકાશિત થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy