SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રાભૂત ૫૯ એક વર્ગ બને છે, અનન્તાનન્ત વર્ગોના સમુદાયસમાગમથી (એક વર્ગણા બને છે તથા અનન્તાનન્ત વર્ગણાઓના સમુદાયસમાગમથી) એક સ્પર્ધક બને છે. અહીં આ ચોવીસ અનુયોગદ્વાર જાણવા જોઈએ : સંજ્ઞા, સર્વબન્ધ, નોસર્વબન્ધ, ઉત્કૃષ્ટબન્ધ, અનુત્કૃષ્ટબન્ધથી અલ્પબહુત્વ. આ ઉપરાંત ભુજગારબન્ધ, પદનિક્ષેપ, વૃદ્ધિબન્ધ, અધ્યવસાનસમુદાહાર અને જીવસમુદાહાર પણ જાણવા જોઈએ. ૧ પ્રદેશબન્ધ પણ મૂલપ્રકૃતિપ્રદેશબન્ધ અને ઉત્તરપ્રકૃતિપ્રદેશબન્ધના બે ભેદે બે પ્રકારનો છે. આઠ પ્રકારની મૂલકર્મપ્રકૃતિઓનો બંધ કરનારા જીવોના આયુ કર્મનો ભાગ સૌથી ઓછો હોય છે, નામ અને ગોત્ર કર્મનો ભાગ એનાથી વિશેષ અધિક હોય છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અન્તરાય કર્મનો ભાગ એનાથી વિશેષ અધિક હોય છે, મોહનીય કર્મનો ભાગ એનાથી વિશેષ અધિક હોય છે, તથા વેદનીય કર્મનો ભાગ એનાથી વિશેષ અધિક હોય છે. સાત પ્રકારની મૂલપ્રકૃતિઓનો બન્ધ કરનારા જીવોનાં નામ અને ગોત્ર કર્મનો ભાગ સૌથી ઓછો હોય છે, ઈત્યાદિ. અહીં સ્થાનપ્રરૂપણા, સર્વબન્ધ, નોસર્વબન્ધ વગેરે ચોવીસ અનુયોગદ્વાર તથા ભુજગારબન્ધ વગેરે જાણવા જોઈએ. ગ્રન્થના અંતે પુનઃ મંગલમંત્ર દ્વારા અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને લોકના બધા સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ॥ ૧. મહાબંધ, પુ. ૪-૫ ૨. મહાબંધ, પુ. ૬-૭ ૩. મહાબંધ, પુ. ૭, પૃ. ૩૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy