SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ હોય છે. મન:પર્યાયજ્ઞાનીઓમાં પ્રમત્તસંયતથી ક્ષીણકષાયવીતરાગછઘ0 સુધી જીવોની સંખ્યા સંખેય છે. કેવલજ્ઞાનીઓમાં સયોગિકેવલી અને અયોગિકેવલીની સંખ્યા સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે.' - સંયમની અપેક્ષાએ સંયતોમાં પ્રમત્તસંયતથી અયોગિકેવલી સુધી જીવોની સંખ્યા સામાન્ય પ્રરૂપણા સમાન છે. સામાયિક અને છેદોપસ્થાપનશુદ્ધિસંયતોમાં પ્રમત્તસંયતથી અનિવૃત્તિબાદરસામ્પરાયિક પ્રવિષ્ટ ઉપશમક અને ક્ષપક સુધી જીવોની સંખ્યા સામાન્ય પ્રરૂપણા સમાન છે. પરિહારવિશુદ્ધિસંયતોમાં પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત જીવોની સંખ્યા સંખેય છે. બાકીનું કથન સામાન્ય પ્રરૂપણ સમાન છે. દર્શનની અપેક્ષાએ ચક્ષુર્દર્શની મિથ્યાષ્ટિ અસંખેય છે. બાકી પ્રરૂપણ સામાન્ય પ્રરૂપણ સમાન છે. લેશ્યાની અપેક્ષાએકૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા જીવોમાં મિથ્યાદૃષ્ટિથી અસંતસમ્યગદષ્ટિની પ્રરૂપણા સામાન્ય પ્રરૂપણા સમાન છે. તેજોલેશ્યાવાળા જીવોમાં મિથ્યાષ્ટિ જીવો જ્યોતિષ્ક દેવોથી કંઈક વધુ છે, સાસાદનસમ્યગ્દષ્ટિથી સંયતાસંયત જીવોની પ્રરૂપણા સામાન્ય પ્રરૂપણા સમાન છે, પ્રમત્તસંયત અને અપ્રમત્ત જીવો સંખે છે. પદ્મવેશ્યાવાળાજીવોમાં મિથ્યાષ્ટિજીવોસંજ્ઞીપંચેન્દ્રિયતિર્યંચયોનિયુક્ત જીવોના સંખ્યાતમા ભાગપ્રમાણ છે, સાસાદનસમ્યગ્દષ્ટિથી સંયતાસંત જીવોની પ્રરૂપણા સામાન્ય પ્રરૂપણા સમાન છે,પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત સંખ્યયછે. શુક્લલેશ્યાવાળા જીવોમાંમિથ્યાદૃષ્ટિથી સંયતાસંયત પલ્યોપમના અસંખ્યાતમાભાગપ્રમાણ છે,પ્રમત્તસંયત અને અપ્રમત્તસંતસંખ્યયછે,અપૂર્વકરણથીસયોગિકેવલી સામાન્ય પ્રરૂપણા જેટલાછે. ભવ્યત્વની અપેક્ષાએ ભવ્યસિદ્ધિકોમાં મિથ્યાષ્ટિથી અયોગિકેવલી સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. અભવ્યસિદ્ધિકો અનન્ત છે." સમ્યક્તની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિજીવોમાં અસંતસમ્યગ્દષ્ટિથી અયોગિકેવલીની સંખ્યા સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જીવોમાં અસંતસમ્યગ્દષ્ટિ જીવોની સંખ્યા સામાન્ય પ્રરૂપણ પ્રમાણે છે, સંયતાસંયતથી ઉપશાન્તકષાયવીતરાગછમસ્થ જીવોની સંખ્યા સંખેય છે, ચારે (ઘાતી કર્મોના) ક્ષપક, સંયોગિકેવલી અને અયોગિકેવલીની સંખ્યા સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. વેદકસમ્યગ્દષ્ટિ જીવોમાં અસંતસમ્યગ્દષ્ટિથી અપ્રમત્તસંયતની સંખ્યા સામાન્ય પ્રરૂપણા પ્રમાણે છે. ઉપશમસમ્યગ્દષ્ટિજીવોમાં અસંતસમ્યગ્દષ્ટિ અને સંયતાસંયતની સંખ્યા સામાન્યપ્રરૂપણા પ્રમાણે છે, પ્રમત્તસંયતથી ઉપશાન્તકષાયવીતરાગછબી સંખ્યય છે. સાસાદનસમ્યગ્દષ્ટિ, સમ્યકૃમિથ્યાદૃષ્ટિ અનેમિથ્યાદષ્ટિ સામાન્ય પ્રરૂપણા સમાન જ છે. ૧. સૂત્ર ૧૪૧-૧૪૭ ૨. સૂત્ર ૧૪૮--૧૫૪ ૩. સૂત્ર ૧૫૫-૧૬૧ ૪. સૂત્ર ૧૬૨-૧૭૧ ૫. સૂત્ર ૧૭૨-૧૭૩ ૬. સૂત્ર ૧૭૪-૧૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy