SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ જીવોને હોય છે, પણ પર્યાપ્તકોને જ હોય છે અપર્યાપ્તકોને નહિ. સમ્યમ્મિથ્યાષ્ટિ ગુણસ્થાનમાં પ્રથમ ત્રણ જ્ઞાનો અજ્ઞાનથી મિશ્રિત હોય છે. આભિનિબોધિકજ્ઞાન મત્યજ્ઞાનથી, શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનથી અને અવધિજ્ઞાન વિભૃગજ્ઞાનથી મિશ્રિત હોય છે. આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અસંતસમ્યગ્દષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછમ0 ગુણસ્થાન સુધી હોય છે. મન:પર્યયજ્ઞાન પ્રમત્તસંયતથી ક્ષીણકષાયવીતરાગછબ0 ગુણસ્થાન સુધી હોય છે. કેવલજ્ઞાન સયોગિકેવલી, અયોગિકેવલી અને સિદ્ધ આ ત્રણ અવસ્થામાં હોય છે.' સંયમની અપેક્ષાએ જીવો સામાયિકશુદ્ધિસંયત, છેદોપસ્થાપનાશુદ્ધિસંયત, પરિહારશુદ્ધિસંયત, સૂક્ષ્મસામ્પરાયિકશુદ્ધિસંયત, યથાખ્યાતવિહારશુદ્ધિસંયત, સંયતાસંયત અને અસંમત હોય છે. સંત જીવો પ્રમત્તસંયતથી અયોગિકેવલી ગુણસ્થાન સુધી હોય છે. સામાયિકશુદ્ધિસંયત અને છેદોપસ્થાપનાશુદ્ધિસંત જીવો પ્રમત્તસંયતથી અનિવૃત્તિકરણ ગુણસ્થાન સુધી હોય છે. પરિહારશુદ્ધિસંત જીવો પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત આ બે ગુણસ્થાનોમાં હોય છે. સૂક્ષ્મસામ્પરાયિકશુદ્ધિસંત જીવો કેવળ સૂક્ષ્મસાંપરાયિકશુદ્ધિસંત ગુણસ્થાનમાં જ હોય છે. યથાખ્યાતવિહારશુદ્ધિસંત જીવો ઉપશાત્તકષાયવીતરાગછદ્મસ્થ, ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ, સયોગિકેવલી અને અયોગિકેવલી આ ચાર ગુણસ્થાનોમાં હોય છે. સંયતાસંયત જીવો કેવળ સંયતાસંયત ગુણસ્થાનમાં હોય છે. અસંયત જીવો એકેન્દ્રિયથી અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન સુધી હોય છે. દર્શનની અપેક્ષાએ જીવો ચક્ષુર્દર્શની, અચકુર્દર્શની, અવધિદર્શની અને કેવલદર્શની હોય છે. ચક્ષુર્દર્શની જીવો ચતુરિન્દ્રિયથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થા ગુણસ્થાન સુધી હોય છે. અચક્ષુર્દર્શની જીવો એકેન્દ્રિયથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ ગુણસ્થાન સુધી હોય છે. અવધિદર્શની જીવો અસંતસમ્યગ્દષ્ટિથી ક્ષીણકખાયવીતરાગછદ્મસ્થ ગુણસ્થાન સુધી હોય છે. કેવલદર્શની જીવો સયોગિકેવલી, અયોગિકેવલી અને સિદ્ધ આ ત્રણ અવસ્થામાં હોય છે. . લેશ્યાની અપેક્ષાએ જીવો કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુક્લલેશ્યા અને અલેશ્યાવાળા હોય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા જીવો એકેન્દ્રિયથી અસંતસમ્યગ્દષ્ટિ સુધી હોય છે. તેજોવેશ્યા અને પદ્મવેશ્યાવાળા જીવ સંજ્ઞી મિથ્યાદૃષ્ટિથી અપ્રમત્તસંયત સુધી હોય છે. ૧. સૂત્ર ૧૧૫-૧૨૨. ૨. સૂત્ર ૧૨૩-૧૩૦ ૩. સૂત્ર ૧૩૧-૧૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy