________________
૩૨
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂક્ષ્મ પણ બે પ્રકારના હોય છે : પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ જ રીતે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના હોય છે. પંચેન્દ્રિયના બે ભેદ છે : સંજ્ઞી અને અસંજ્ઞી. સંજ્ઞી અને અસંજ્ઞી પુનઃ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે પ્રકારના થાય છે.'
એકેન્દ્રિયથી અસંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવો મિથ્યાદષ્ટિ નામના પ્રથમ ગુણસ્થાનમાં જ હોય છે. સંજ્ઞીપંચેન્દ્રિય જીવો મિથ્યાદષ્ટિ ગુણસ્થાનથી અયોગિકેવલી ગુણસ્થાન સુધી હોય છે. એનાથી આગળ (સિદ્ધાવસ્થામાં) અનિન્દ્રિય જીવો હોય છે.
કાયની અપેક્ષાએ પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક અને અકાયિક જીવો હોય છે. પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક જીવો બાદર અને સૂક્ષ્મ ભેદે બે-બે પ્રકારના છે. બાદર અને સૂક્ષ્મના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે બે-બે પ્રકાર છે. વનસ્પતિકાયિક જીવોના બે પ્રકાર છે : પ્રત્યેકશરીર અને સાધારણશરીર. પ્રત્યેકશરીરના વળી બે ભેદ થાય છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. સાધારણશરીરના પણ બે પ્રકાર છે : બાદર અને સૂક્ષ્મ. બાદર અને સૂક્ષ્મ વળી પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે-બે પ્રકારના છે.
પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક જીવો મિથ્યાષ્ટિ ગુણસ્થાનમાં જ હોય છે. કીન્દ્રિયથી અયોગિકેવલી સુધીના જીવો ત્રસકાયિક હોય છે. બાદર એકેન્દ્રિયથી અયોગિકેવલી સુધીના જીવો બાદરકાયિક હોય છે. ત્રસ અને સ્થાવર એ બંને કાયોથી રહિત જીવો અકાયિક છે.
યોગની અપેક્ષાએ જીવો મનોયોગી, વચનયોગી અને કાયયોગી હોય છે. અયોગી જીવો પણ હોય છે. મનોયોગના ચાર પ્રકાર છે : ૧. સત્યમનોયોગ, ૨. મૃષામનોયોગ, ૩. સત્યમૃષામનોયોગ, ૪. અસત્યમૃષામનોયોગ.૫
સામાન્યપણે મનોયોગ અને વિશેષપણે સત્યમનો યોગ અને અસત્યમૃષામનોયોગ સંજ્ઞીમિથ્યાદષ્ટિથી સયોગિકેવલી સુધીના જીવોને હોય છે. મૃષામનોયોગ અને સત્યમૃષામનોયોગ સંજ્ઞીમિથ્યાષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછઘસ્થા સુધીના જીવોમાં હોય છે.
વચનયોગ પણ ચાર પ્રકારનો છે : ૧. સત્યવચનયોગ, ૨. મૃષાવચનયોગ, ૩. સત્યમૃષાવચનયોગ, ૪. અસત્યમૃષાવચનયોગ. સામાન્યપણે વચનયોગ અને ૧. સૂત્ર ૩૩-૩૫. ૨. સૂત્ર ૩૬-૩૮
૩. સૂત્ર ૩૯-૪૨ ૪. સૂત્ર ૪૩-૪૬ ૫. સૂત્ર ૪૭-૪૯
૬. સૂત્ર ૫૦-૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org