SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ર કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ૩. દેવીના પૂજનની વિધિ, ૪. બાર યંત્રોના ભેદોનું કથન, ૫. સ્તમ્મન, ૬. સ્ત્રીનું આકર્ષણ, ૭. વણ્યકર્મનું યંત્ર, ૮. દર્પણ આદિ નિમિત્ત, ૯. વશ્ય (વશીકરણ)ની ઔષધિ અને ૧૦. ગાડિક. પ્રથમ અધિકારના પહેલા શ્લોકમાં પાર્શ્વનાથને પ્રણામ કરીને ભૈરવપદ્માવતીકલ્પને કહેવાની પ્રતિજ્ઞા આવે છે. બીજામાં પદ્માવતીનું વર્ણન આવે છે અને ત્રીજામાં તેનાં તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી એ છ નામ આપ્યાં છે. પાંચમામાં કર્તા અને પુસ્તકનાં નામ છે તથા આર્યા, ગીતિ અને શ્લોક (અનુષ્ટ્ર)માં રચના કરવામાં આવશે, એવો નિર્દેશ છે. પદ્ય ૬થી ૧૦માં મંત્રસાધક અર્થાત્ મંત્ર સિદ્ધ કરનાર સાધકનાં વિવિધ લક્ષણો આપ્યાં છે; જેવાં કે કામ, ક્રોધ આદિ ઉપર વિજય પ્રાપ્ત, જિનેશ્વર અને પદ્માવતીનો ભક્ત, મૌન ધારણ કરનાર, ઉદ્યમી, સંયમી જીવન જીવનાર, સત્યવાદી, દયાળુ અને મંત્રના બીજભૂત પદોનું અવધારણ કરનાર, અગીઆરમા પદ્યમાં ઉપર્યુક્ત ગુણોથી રહિત જે તપ કરે છે તેને પદ્માવતી અનેક પ્રકારનાં વિઘ્નો ઊભા કરી હેરાન કરે છે, એવું કહ્યું છે. - બીજા અધિકારમાં મંત્રસાધક દ્વારા કરવામાં આવતી આત્મરક્ષાના વિષયમાં, સાધ્ય અને સાધકના અંશ ગણવાની રીતના વિષયમાં તથા કયો મંત્ર ક્યારે સફળ થાય છે, એના વિષયમાં માહિતી આપવામાં આવી છે. બારમા પદ્યમાં પદ્માવતીનું વર્ણન આવે છે, જેમાં તેને ત્રણ નેત્રોવાળી અને કર્કટ-સર્પરૂપ વાહનવાળી કહેવામાં આવી છે. આ ઉપરાંત, આય, સિદ્ધ, સાધ્ય, સુસિદ્ધ અને શત્રુની વ્યાખ્યા આપવામાં આવી છે. ત્રીજા અધિકારમાં શાન્તિ, વિષ, વશીકરણ, બન્ધ, સ્ત્રીઆકર્ષણ અને સ્તમ્મન આ છ પ્રકારનાં કર્મોનું અને તેમની દીપન, પલ્લવ, સમ્પટ, રોધન, ગ્રથન અને વિદર્ભન નામની વિધિનું નિરૂપણ છે. તેના પછી ઉપર્યુક્ત છે પ્રકારનાં કર્મોનાં કાળ, દિશા, મુદ્રા, આસન, વર્ણ, મનના આદિનું વિવેચન છે. ત્યાર બાદ ગૃહમંત્રોદ્ધાર, લોકપાલ અને આઠ દેવીઓની સ્થાપના, ૧. આ નામો પદ્માવતીના ભિન્ન ભિન્ન વર્ણ તથા હાથમાં રહેલી ભિન્ન ભિન્ન વસ્તુઓના આધારે દેવામાં આવ્યાં છે. તેમની સ્પષ્ટતા “અનેકાન્ત” (વર્ષ ૧, પૃ. ૪૩૦)માં કરવામાં આવી છે. ૨. આવા વર્ણવાળી એક દેવીની વિ.સં.૧૨૫૪માં પ્રતિષ્ઠિત મૂર્તિ ઈડરના સંભવનાથના દિગંબર મંદિરમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy