SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ચાર વિવરણ – પ્રસ્તુત કૃતિ ઉપર ત્રણ ટીકાઓ અને એક વૃત્તિ એમ કુલ ચાર વિવરણો લખાયાં છે. ટીકાકારોનાં નામ અનુક્રમે પ્રભાચન્દ્ર, પર્વતધર્મ અને યશશ્ચન્દ્ર છે. વૃત્તિકારનું નામ મેઘચન્દ્ર છે. પ્રસ્તુત કૃતિ બધા ધર્મોના અનુયાયીઓ માટે અને વિશેષતઃ જૈનોને માટે ઉપયોગી હોવાથી ન્યાયાચાર્યશ્રી યશોવિજયજીએ તેના ઉદ્ધરણરૂપ ૧૦૪ દોહાઓમાં સમાધિશતક” નામનો ગ્રંથ લખ્યો છે. સમાધિદ્ધાત્રિશિકા આ કૃતિ અજ્ઞાતકર્તક છે. તેમાં બત્રીસ પદ્ય છે. સમતા કુલક આ કૃતિ પણ અજ્ઞાતકર્તક છે. તે સંભવતઃ પ્રાકૃતમાં છે. સામ્યશતક આ વિજયસિંહસૂરિએ ૧૦૬ શ્લોકોમાં રચેલી કૃતિ છે. તે ચન્દ્રકુલના અભયદેવસૂરિના શિષ્ય હતા. * જિનરત્નકોશમાં (વિ.૧, પૃ. ૩૨૧-૩૨૨) “યોગ' શબ્દથી શરૂ થતી કૃતિઓનો નિર્દેશ છે. તેમાં નીચે જણાવેલી કૃતિઓના કર્તાઓનાં નામ આપ્યાં નથી. તેથી યશષ્ટ સાધનોના અભાવમાં તે નામો નક્કી કરવા શક્ય નથી. તે કૃતઓનાં નામ નીચે પ્રમાણે છે : યોગદખિસ્વાધ્યાયસૂત્ર, યોગભક્તિ, યોગમાયાભ્યાત્રિશિકા', યોગરત્નસમુચ્ચયે, યોગરત્નાવલી, યોગવિવેકાત્રિશિકા, યોગસંકથા, યોગસંગ્રહ, યોગસંગ્રહસાર, યોગાનુશાસન અને યોગાવતારદ્વાત્રિશિકા. ૧. તેમણે વૈરાગ્યકલ્પલતામાં (સ્તબક ૧, શ્લોક ૧૨૭-૨૫૮) સમાધિનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. હિંદીમાં પણ ૧૦૫ દોહામાં તેમણે સમતાશતક અથવા સામ્યશતક લખ્યું છે. ૨. આનો પરિચય યશોદોહન (પૃ. ૨૯૫-૨૯૭)માં આપ્યો છે. ૩. આ પુસ્તક એ.એમ.એન્ડ કંપનીએ મુંબઈથી સન્ ૧૯૧૮માં પ્રકાશિત કર્યું છે. ૪. આમાં યોગનો પ્રભાવ ૩૨ કે એકાધ અધિક પદ્યોમાં દર્શાવ્યો હશે. ૫. આનું શ્લોકપ્રમાણ ૪૫૦ છે. ૬. આ ગ્રન્થ ૧૫૦૦ શ્લોક-પરિમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy