SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ગોયમપુચ્છા (ગૌતમપૃચ્છા) જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ અજ્ઞાતકર્તક કૃતિમાં ૬૪ આર્યા છન્દ છે. તેમાં મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિએ પૂછેલા ૪૮ પ્રશ્નો પ્રારંભની ૧૨ ગાથાઓમાં આપી તેરમી ગાથાથી મહાવીરસ્વામીએ આપેલા આ પ્રશ્નોના ઉત્તરો છે. ધર્મ અને અધર્મનું ફળ આમાં સૂચવાયું છે. કયા કર્મથી સંસારી જીવ નરક વગેરે ગતિ પામે છે ? કયા કર્મથી તેમને સૌભાગ્ય યા દિૌર્ભાગ્ય, પાંડિત્ય યા મૂર્ખતા, ધનિકતા યા દરિદ્રતા, અપંગતા, વિકલેન્દ્રિયતા, અનારોગ્યતા, દીર્ધસંસારિતા વગેરે પ્રાપ્ત થાય છે ? આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ટીકાઓ – તેના ઉપર નીચે જણાવેલી વ્યાખ્યાઓ સંસ્કૃતમાં લખાઈ છે. ૧. રુદ્રપલ્લીય ગચ્છના દેવભદ્રસૂરિના શિષ્ય શ્રી તિલકરચિત વૃત્તિ. તેનું પરિમાણ પ૬૦૦ શ્લોક છે અને તેનો પ્રારંભ “માધુર્યપુર્ણથી થાય છે. આ વૃત્તિ વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં રચાઈ છે. ૨. વિ.સં. ૧૭૩૮માં જગતારિણી નગરીમાં ખરતરગચ્છના સુમતિહંસના શિષ્ય મતિવર્ધને લખેલી એક ૩૮૦૦ શ્લોકપ્રમાણ ધરાવતી વૃત્તિ છે. ૩-૬. અભયદેવસૂરિ, કેસરગણી અને ખરતરગચ્છના અમૃતધર્મના શિષ્ય ક્ષમાકલ્યાણે લખેલી અને ચોથી એક અજ્ઞાતકર્તક “વીરં વિનં પ્રખ્યાતથી શરૂ થતી ટીકા – આમ આ ચાર બીજી પણ ટીકાઓ છે. બાલાવબોધ – સુધાભૂષણના શિષ્ય જિનસૂરિએર, સોમસુંદરસૂરિએ અને વિ.સં.૧૮૮૪માં પદ્મવિજયગણીએ એક એક બાલાવબોધ લખ્યો છે. આ ઉપરાંત એક અજ્ઞાતકક બાલાવબોધ પણ છે. સિદ્ધાન્તાર્ણવ તેના કર્તા અમરચન્દ્રસૂરિ છે. તે નાગેન્દ્ર ગચ્છના શાન્તિસૂરિના શિષ્ય હતા. તેમણે તથા તેમના ગુરુભાઈ આનન્દસૂરિએ બાલ્યાવસ્થામાં પ્રખર વાદીઓને ૧. આ કૃતિ મતિવર્ધનની ટીકાની સાથે હીરાલાલ હંસરાજે સન્ ૧૯૨૦માં છાપી છે. તેમણે જ અજ્ઞાતકર્તક ટીકા, જેમાં છત્રીસ કથાઓ આવે છે, સાથે પણ આ કૃતિ સન્ ૧૯૪૧માં પ્રકાશિત કરી છે. ઉપરાંત, અજ્ઞાતકર્તક ટીકા સાથે મૂલ કૃતિ “નેમિ-અમૃત-ખાન્તિ-નિરંજન ગ્રંથમાલા'માં વિ.સં.૨૦૧૩માં પ્રકાશિત થઈ છે. ૨. તેમની ટીકાને પણ વૃત્તિ કહે છે. ૩. તેમની ટીકાને ચૂર્ણિ પણ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy