SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન અને લાદ,ભારતીય વિદ્યામંદિરના પૂર્વનિયામક ડૉ. નગીનભાઈ શાહ તથા પ્રાકૃત ભાષાસાહિત્યના જાણીતા વિદ્વાન અને ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત-પાલિ વિભાગના પૂર્વ-અધ્યક્ષ ડૉ. રમણીકભાઈ શાહને સોંપ્યુ. આ રીતે પૂજય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના ૭ ભાગોના અનુવાદનું કાર્ય ચાલુ થયું. ભાગ ૧, ૨ અને ૪ના ગુજરાતી અનુવાદ-ગ્રંથો આ સાથે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. બાકીના ભાગો પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. વળી આ બધા ભાગોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધરવા માટે આભાર માનીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. ભાગ-૪ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, માટુંગા, મુંબઈનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૯-૩-૨૦૦૪ અમદાવાદ Jain Education International —અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy