SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વિશેષતા, ઉદીરણાની બુચ્છિત્તિ, ઉદીરણા-અનુદીરણા પ્રકૃતિઓની સંખ્યા, સત્ત્વપ્રકૃતિઓનું સ્વરૂપ, સત્ત્વવ્યચ્છિત્તિ, સત્ત્વ-અસત્ત્વ પ્રકૃતિઓની સંખ્યા. પ્રસ્તુત પ્રકરણના અંતે પણ મંગલાચરણ કરવામાં આવ્યું છે. સત્ત્વસ્થાનભંગ પ્રકરણના પ્રારંભમાં તીર્થકર વર્ધમાનને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં નીચે દર્શાવેલા વિષયોનું પ્રતિપાદન છે : આયુના બંધાબંધની અપેક્ષાએ ગુણસ્થાનોમાં સત્તસ્થાન, મિથ્યાત્વગુણસ્થાનનાં સ્થાનોની પ્રકૃતિઓ, મિથ્યાત્વગુણસ્થાનમાં ભંગસંખ્યા, સાસાદન વગેરે ગુણસ્થાનોમાં સ્થાન અને ભંગોની સંખ્યા. પ્રકરણના અંતે ગ્રન્થકારે લખ્યું છે કે શ્રેષ્ઠ ઈન્દ્રનદિ ગુરુની પાસેથી સકળ સિદ્ધાન્ત સાંભળી શ્રી કનકનદિ ગુરુએ સત્ત્વસ્થાનનું સમ્યફ કથન કર્યું છે. જેમ ચક્રવર્તીએ (ભરતે) પોતાના ચક્રરત્નથી (ભારતના) છ ખંડો પર નિર્વિઘ્ન અધિકાર પ્રાપ્ત કર્યો હતો તેમ મેં મારા પોતાના બુદ્ધિચક્રથી પખંડાગમ પર બરાબર અધિકાર પ્રાપ્ત કર્યો છે: वरइंदणंदिगुरुणो पासे सोऊण सयलसिद्धंतं । सिरिकणयणंदिगुरुणा सत्तट्ठाणं समुद्दिटुं ॥ ३९६ ॥ जह चक्केण य चक्की छक्खंडं साहियं अविग्घेण । तह मइचक्केण मया छक्खंडं साहियं सम्मं ॥ ३९७ ॥ ત્રિચૂલિકા પ્રકરણના પ્રારંભમાં જિનેન્દ્રદેવોને નમસ્કાર કરવામાં આવ્યા છે, તથા ત્રિચૂલિકા પ્રકરણના કથનની પ્રતિજ્ઞા કરવામાં આવી છે. આ પ્રકરણમાં નીચે જણાવેલી ત્રણ ચૂલિકાઓનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે : નવપ્રશ્નચૂલિકા, પંચભાગદાર ચૂલિકા અને દશકરણ ચૂલિકા. દશકરણ ચૂલિકાના વ્યાખ્યાનના પ્રારંભમાં આચાર્યે પોતાના ગ્રુતગુરુ અભયનન્ટિને નમસ્કાર કર્યા છે : जस्स य पायपसायेणणंतसंसारजलहिमुत्तिण्णो । वीरिंदणंदिवच्छो णमामि तं अभयणंदिगुरुं ॥ ४३६ ॥ સ્થાન સમુત્કીર્તન પ્રકરણના પ્રારંભમાં આચાર્યે નેમિનાથને પ્રણામ કર્યા છે. પ્રસ્તુત પ્રકરણમાં નીચે જણાવેલા વિષયોનું વિવેચન છે : ગુણસ્થાનોમાં પ્રકૃતિસંખ્યા સહિત બંધાદિસ્થાન, ઉપયોગ-યોગ-સંયમ-લેશ્યા-સમ્યક્તની અપેક્ષાએ મોહનીય કર્મના ઉદયસ્થાનો તથા પ્રકૃતિઓની સંખ્યા, મોહનીય કર્મનાં સત્ત્વસ્થાન, નામ કર્મનાં જીવપદ, નામ કર્મનાં બંધાદિસ્થાન તથા ભંગ, બંધ-ઉદય-સત્ત્વના ત્રિસંયોગી ભંગો, જીવસમાસની અપેક્ષાએ બંધ-ઉદય-સન્દ્રસ્થાન, માર્ગણાઓની અપેક્ષાએ બંધ-ઉદય-સન્દ્રસ્થાન, એક આધાર અને બે આધેયોની અપેક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy