________________
અન્ય કર્મસાહિત્ય
૧ ૨૫ ત્રણ ગ્રન્થ શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ આજે પણ મળે છે.
પંચસંગ્રહકાર આચાર્ય ચંદ્રષિ મહત્તરના સમય, ગચ્છ વગેરેનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ મળતો નથી. તેમની સ્વોપજ્ઞ વૃત્તિના અંતે કેવળ એટલો જ ઉલ્લેખ છે કે તેઓ પાર્શ્વર્ષિના શિષ્ય છે. એ જ રીતે તેમના મહત્તરપદ વિશે પણ તેમની સ્વોપજ્ઞ વૃત્તિમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી. આચાર્ય મલયગિરિએ પણ એમને “પયા વેન્દ્રષિાના સાધુના' એવું કહીને મહત્તરપદથી વિભૂષિત કર્યા નથી. સામાન્ય પ્રચલિત ઉલ્લેખોના આધાર પર જ એમને અહીં મહત્તર કહેવામાં આવ્યા છે.
આચાર્ય ચન્દ્રર્ષિ મહત્તરના સમય વિશે એટલું જ કહી શકાય છે કે ગર્ગષિ, સિદ્ધર્ષિ, પાર્શ્વર્ષિ, ચન્દ્રર્ષિ વગેરે ઋષિશબ્દાત્ત નામ ખાસ કરીને નવમી-દસમી સદીમાં વધુ પ્રચલિત હતા તેથી પંચસંગ્રહકાર ચન્દ્રર્ષિ મહત્તર પણ સંભવતઃ વિક્રમની નવમી-દસમી સદીમાં વિદ્યમાન હશે. પંચસંગ્રહ અને એની સ્વોપજ્ઞ ટીકા સિવાય ચન્દ્રર્ષિ મહત્તરની કોઈ અન્ય કૃતિ ઉપલબ્ધ થઈ નથી.
પંચસંગ્રહમાં લગભગ એક હજાર ગાથાઓ છે જેમાં યોગ, ઉપયોગ, ગુણસ્થાન, કર્મબન્ધ, બન્ધહેતુ, ઉદય, સત્તા, બન્ધન વગેરે આઠ કરણ અને આ જ પ્રકારના અન્ય વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં આઠ કર્મોનો નાશ કરનાર વીર જિનેશ્વરને નમસ્કાર કરવામાં આવ્યા છે તથા મહાનું અર્થવાળા પંચસંગ્રહ નામના ગ્રન્થની રચના કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો
છેઃ
नमिऊण जिणं वीरं सम्मं दुट्ठट्ठकम्मनिट्ठवगं ।
वोच्छामि पंचसंगहमेयमहत्थं जहत्थं च ॥ १ ॥ ત્યાર પછી ગ્રન્થકારે “પંચસંગ્રહ નામની સાર્થકતા બે રીતે દર્શાવતાં લખ્યું છે કે આમાં શતક વગેરે પાંચ ગ્રંથોનો સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યો છે માટે અથવા તો પાંચ લારોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે માટે આનું પંચસંગ્રહ' નામ સાર્થક છે :
सयगाइ पंच गंथा जहारिहं जेण एत्थ संखित्ता ।
दाराणि पंच अहवा तेण जहत्थाभिहाणमिणं ॥ २ ॥ આ ગ્રંથમાં નીચે જણાવેલા પાંચ દ્વારોનો પરિચય છે : ૧. યોગોપયોગમાર્ગણા, ૨. બંધક, ૩. બંધવ્ય, ૪. બંધહેતુ, પ. બંધવિધિ. આ વિશેની ગાથા નીચે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org