SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ છે. આ ગ્રન્થોનો આધાર પૂર્વોતૃત કર્યસાહિત્ય છે. વર્તમાનમાં વિશેષ કરીને આ પ્રકરણગ્રંથોનું અધ્યયન-અધ્યાપન પ્રચલિત છે. આ ગ્રંથો અપેક્ષાએ સરલ અને લઘુકાય છે. એમનું અપેક્ષિત અવલોકન કર્યા પછી પૂર્વોતૃત કર્મગ્રંથોનું અધ્યયનઅધ્યાપન વિશેષ લાભદાયી થાય છે. પ્રાકરણિક કર્મગ્રંથોનું લેખનકાર્ય વિક્રમની આઠમી-નવમી સદીથી સોળમી-સત્તરમી સદી સુધી થયું છે. આધુનિક વિદ્વાનોએ પણ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં કર્મવિષયક સાહિત્યનું નિર્માણ કર્યું છે જે મુખ્યપણે કર્મગ્રંથોના વિવેચન અને વ્યાખ્યાનરૂપ છે. ભાષાની દૃષ્ટિએ કર્મસાહિત્યને ત્રણ ભાગોમાં વિભાજિત કરી શકાય : પ્રાકૃતમાં લિખિક કર્મશાસ્ત્ર, સંસ્કૃતમાં લિખિત કર્મશાસ્ત્ર અને પ્રાદેશિક ભાષાઓમાં લિખિત કર્મશાસ્ત્ર. પૂર્વાત્મક અને પૂર્વીસ્તૃત કર્મગ્રન્થ પ્રાકૃત ભાષામાં છે. પ્રાકરણિક કર્મસાહિત્યનો પણ બહુ મોટો ભાગ પ્રાકૃતમાં જ છે. મૂળ ગ્રન્થોથી અતિરિક્ત એમના ઉપર લખાયેલી ટીકાઓ તેમ જ ટિપ્પણો પણ પ્રાકૃતમાં છે. પાછળથી કેટલાક કર્મગ્રન્થ સંસ્કૃતમાં લખાયા છે. કર્મશાસ્ત્ર ઉપર ટીકા-ટિપ્પણીઓ અધિકતર સંસ્કૃતમાં લખાઈ છે. સંસ્કૃતમાં લખાયેલ મૂલ કર્મગ્રન્થ પ્રાકરણિક કર્મશાસ્ત્રમાં સમાવિષ્ટ છે. પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલું કર્મસાહિત્ય કન્નડ, ગુજરાતી અને હિન્દીમાં છે. પ્રાદેશિક ભાષામાં લખાયેલ મૌલિક ગ્રન્થ નામમાત્ર છે. મુખ્યપણે પ્રાદેશિક ભાષાઓમાં મૂળ ગ્રંથોના તથા તે ઉપરની ટીકાઓના અનુવાદો અને વિવેચનો છે. આ અનુવાદો અને વિવેચનો વિશેષપણે પ્રાકરણિક કર્મશાસ્ત્રના છે. કન્નડ અને હિંદીમાં મુખ્યપણે દિગંબર સાહિત્ય લખાયું છે જ્યારે ગુજરાતીમાં વિશેષે શ્વેતાંબર સાહિત્ય રચાયું છે. જે અત્યારે મળે છે અથવા જેમના હોવાની જાણ અન્ય ગ્રંથોમાં આવતા ઉલ્લેખોમાંથી થાય છે તે મહત્ત્વપૂર્ણ ક્રમગ્રન્થો અને ટીકાઓની સૂચી નીચે આપવામાં આવી છે, તેના ઉપરથી કર્મવિષયક સાહિત્યની સમૃદ્ધિની કલ્પના ક૨વામાં સરળતા રહેશે. દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયોના આ વિપુલ સાહિત્યને જોઈ સહજ રીતે જ એ વાતનું અનુમાન થઈ શકે છે કે કર્મવાદનું જૈન પરંપરામાં કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે અને કર્મવિષયક સાહિત્ય તેની કેટલી વિપુલ નિધિ છે. ૧. સટીાશ્વત્વા: ર્મપ્રન્થા: (મુનિ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત), છઠ્ઠું પરિશિષ્ટ, પૃ. ૧૭૨૦ (આવશ્યક પરિવર્તન અને પરિવર્ધન સાથે). પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયાનો ‘કર્મસિદ્ધાન્તસંબંધી સાહિત્ય' ગ્રંથ પણ જોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy