________________
૧૦૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ જય વિશેષણ જોડી જયધવલા રાખ્યું છે. આ નામનો ઉલ્લેખ ટીકાકારે પોતે ગ્રન્થના અને કર્યો છે.
જયધવલાની રચના શક સંવત્ ૭૫૯ના ફાગણ સુદ દસમના દિવસે પૂર્ણ થઈ, એમ તેની પ્રશસ્તિમાં લખ્યું છે. આ ટીકા ગુજરાર્યાનુપાલિત વાટગ્રામપુરમાં રાજા અમોઘવર્ષના રાજયકાળમાં લખાઈ છે.૧ | મંગલાચરણ અને પ્રતિજ્ઞા – જયધવલા ટીકાના પ્રારંભમાં વીરસેનાચાર્યે ચન્દ્રપ્રભ જિનેશ્વરની સ્તુતિ કરી છે. પછી ચોવીસ તીર્થકરો, વીર જિનેન્દ્ર, શ્રુતદેવી, ગણધરદેવો, ગુણધર ભટ્ટારક, આર્યમંભુ, નાગહસ્તી અને યતિવૃષભને પ્રણામ કરીને પ્રસ્તુત વિવરણ લખવાની પ્રતિજ્ઞા કરી છે.
ગુણધર ભટ્ટારકે ગાથાસૂત્રોના પ્રારંભમાં તથા યતિવૃષભ સ્થવિરે ચૂર્ણિસૂત્રોના પ્રારંભમાં મંગલ કેમ નથી કર્યું તેની જયધવલાકારે યુક્તિયુક્ત ચર્ચા કરી છે.
પદપ્રમાણ – કષાયપ્રાભૃત અને કષાયપ્રાભૃતચૂર્ણિની રચનાનો ઉલ્લેખ કરતી વખતે જયધવલાકારે લખ્યું છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૮૩ વર્ષ બાદ થનારા બધા આચાર્યો અંગો અને પૂર્વોના એકદેશના જ્ઞાતા બન્યા. અંગો અને પૂર્વોનો એકદેશ જ આચાર્યપરંપરા દ્વારા ગુણધરાચાર્યને પ્રાપ્ત થયો. જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વની દસમી વસ્તુના ત્રીજા કષાયપ્રાભૃતરૂપી મહાસમુદ્રના પારને પામેલા ગુણધર ભટ્ટારકે ગ્રન્થવિચ્છેદના ભયથી સોળ હજાર પદપ્રમાણ પેસ્જદોસપાહુડ (કષાયપ્રાભૃત)નો માત્ર ૧૮૦ ગાથાઓમાં ઉપસંહાર કર્યો. વળી તે જ સૂત્રગાથાઓ આચાર્યપરંપરાથી ચાલી આવેલી આર્યમંઉં અને નાગહસ્તીને પ્રાપ્ત થઈ. આ બંને આચાર્યોના પાદમૂલે બેસી તે ગાથાઓનો અર્થ સમ્યક્રપણે સાંભળી પ્રવચનવત્સલ યતિવૃષભ ભટ્ટારકે ચૂર્ણિસૂત્રની રચના કરી.
આ ટીકામાં અન્યત્ર ટીકાકારે બતાવ્યું છે કે કષાયપ્રાભૂતની ગુણધરના મુખકમલમાંથી નીકળેલી ઉપસંહારરૂપ ગાથાઓ ૨૩૩ છે. યતિવૃષભના મુખારવિંદમાંથી નીકળેલાં ચૂર્ણિસૂત્ર છ હજાર પદપ્રમાણ છે.*
૧. જુઓ કસાયપાહુડ, ભાગ ૧, પ્રસ્તાવના, પૃ. ૬૯-૭૭ ૨. કસાયપાહુડ, ભાગ ૧, પૃ. ૧-૫ ૩. એજન, પૃ. ૫-૯ ૪. પદના સ્વરૂપ માટે જુઓ – એજન, પૃ. ૯૦-૯૨ ૫. એજન, પૃ. ૮૭-૮૮ ૬. એજન, પૃ. ૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org