SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામનું અંગ ૨, ૨૮,૦૦૦ પદો દ્વારા જીવાદિવિષયક સાઠ હજાર પ્રશ્નોનું નિરૂપણ કરે છે. નાથધર્મકથાગ ૫,૫૬,૦૦૦ પદો દ્વારા તીર્થકરોની ધર્મદેશનાનું, સંશયને પામેલા ગણધરદેવના સંશયને દૂર કરવાની વિધિનું, તથા અનેક પ્રકારની કથાઓ અને ઉપકથાઓનું વર્ણન કરે છે. ઉપાસકાધ્યયનાંગ ૧૧,૭૦,૦૦૦ પદો દ્વારા દર્શન વગેરે અગીઆર પ્રકારનાં શ્રાવકોનાં લક્ષણો, એમનાં વ્રતોને ધારણ કરવાની વિધિ તથા એમના આચરણનું વર્ણન કરે છે. અન્તકૃદશાંગ ૨૩, ૨૮,૦૦૦ પદો દ્વારા એક-એક તીર્થકરના તીર્થમાં અનેક પ્રકારના દારુણ ઉપસર્ગો સહન કરીને તથા પ્રાતિહાર્યો (વિશિષ્ટ અતિશય) પ્રાપ્ત કરીને નિર્વાણ પામેલા દસ-દસ અત્તકૃતોનું વર્ણન કરે છે. અનુત્તરૌપપાદિકદશાંગ ૯૨,૪૪,OOO પદો દ્વારા એક-એક તીર્થકરના તીર્થમાં અનેક પ્રકારના કઠોર પરીષહ સહીને પ્રાતિહાર્યો પ્રાપ્ત કરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દસ-દસ અનુત્તરૌપપાદિકોનું વર્ણન કરે છે. પ્રશ્નવ્યાકરણ અંગમાં ૯૩, ૧૬,૦૦૦ પદો દ્વારા આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની આ ચાર પ્રકારની કથાઓનું વર્ણન છે. વિપાકસૂત્રાંગ ૧,૮૪,૦૦,૦૦૦ પદો દ્વારા પુણ્ય અને પાપરૂપ કર્મોનાં ફળોનું વર્ણન કરે છે. આ અગીઆર અંગોના પદોનો સરવાળો કુલ ૪,૧૫,૦૨,000 પદો છે.' દષ્ટિવાદ નામના બારમા અંગમાં ક્રિયાવાદીઓની ૧૮૦, અક્રિયાવાદીઓની ૮૪, અજ્ઞાનવાદીઓની ૬૭ અને વિનયવાદીઓની ૩૨ – આમ કુલ ૩૬૩ દૃષ્ટિઓનું (મતોનું) નિરૂપણ અને નિરાકરણ કરવામાં આવ્યું છે. એના પાંચ અર્થાધિકાર છે : પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. ટીકાકારે એમના ભેદ-પ્રભેદનું બહુ જ વિસ્તારથી વર્ણન કર્યું છે અને બતાવ્યું છે કે પ્રસ્તુત ગ્રન્થનો સંબંધ પૂર્વગતના દ્વિતીય ભેદ અગ્રાયણીયપૂર્વની સાથે છે. ધવલાનું આ કૃતવર્ણન સમવાયાંગ, નન્દી વગેરે સૂત્રોના શ્રતવર્ણન સાથે બહુ જ મળતું આવે છે. વચ્ચે વચ્ચે ટીકાકારે તત્ત્વાર્થભાષ્યનાં વાક્યો પણ ટાંક્યાં છે. ૧. એજન, પૃ. ૯૯-૧૦૭; પુસ્તક ૯, પૃ. ૧૯૭-૨૦૩ (જયધવલામાં પણ આવું જ વર્ણન છે. જુઓ કસાયપાહુડ, ભાગ ૧, પૃ. ૯૩-૯૬). ૨. પુસ્તક ૧, પૃ. ૧૦૭-૧૩૦; પુસ્તક ૯, પૃ. ૨૦૩-૨૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy