SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આગમિક વ્યાખ્યાઓ ભિક્ષુ, વિર અને ક્ષુલ્લક, શ્રમણીઓના પાંચ પ્રકાર – પ્રવર્તિની, અભિષેકા, ભિક્ષુણી, સ્થવિરા અને શુલ્લિકા, શ્રમણ-શ્રમણીઓ માટે યોગ્ય તથા નિર્દોષ ઉપાશ્રય, નિર્ઝન્થ-નિર્ઝન્થીઓના વિહારનો યોગ્ય કાળ તથા સ્થાન, રાત્રિભોજનનો નિષેધ વગેરે વિષયોનો સમાવેશ છે. ગ્રામ, નગર વગેરેનું સ્વરૂપ બતાવતાં ભાગ્યકારે બાર પ્રકારના ગ્રામોનો ઉલ્લેખ કર્યો છે : ૧. ઉત્તાનકમલક, ૨. અવામુખમલ્લક, ૩. સમ્મટકમલક, ૪. ઉત્તાનકખણ્ડમલ્લક, ૫. અવમુખખડમલ્લક, ૬. સમ્પટકખણ્ડમલ્લક, ૭. ભિત્તિ, ૮, પડાલિ, ૯. વલભી, ૧૦. અક્ષાટક, ૧૧. રુચક, ૧૨. કાશ્યપક. જિનકલ્પિકની ચર્ચામાં બતાવવામાં આવ્યું છે કે તીર્થકરો અથવા ગણધર વગેરે કેવલીઓના સમયમાં જિનકલ્પિક હોય છે. જિનકલ્પિકની સામાચારીનું નિમ્નલિખિત ર૭ દ્વારોથી વર્ણન કરવામાં આવ્યું છે : ૧. શ્રુત, ૨. સંતનન, ૩. ઉપસર્ગ, ૪. આતંક, ૫. વેદના, દ, કતિજન, ૭. પ્ટેિલ, ૮. વસતિ, ૯. કિયચ્ચિર, ૧૦. ઉચ્ચાર, ૧૧. પ્રગ્નવણ, ૧૨. અવકાશ, ૧૩. તૃણફિલક, ૧૪. સંરક્ષણતા, ૧૫. સંસ્થાપનતા, ૧૬. પ્રાકૃતિકા, ૧૭. અગ્નિ, ૧૮. દીપ, ૧૯. અવધાન, ૨૦. વસ્યથ, ૨૧. ભિક્ષાચર્યા, ૨૨. પાનક, ૨૩. લેપાલેપ, ૨૪. અલેપ, ૨૫. આચાર્મ્સ, ૨૬, પ્રતિમા, ૨૭. માસકલ્પ. સ્થવિરકલ્પિકોની ચર્ચા કરતાં આચાર્યો બતાવ્યું છે કે વિરકલ્પિકની પ્રવ્રજયા, શિક્ષા, અર્થગ્રહણ, અનિયતવાસ અને નિષ્પત્તિ જિનકલ્પિકની સમાન જ છે. વિહારવર્ણનમાં નિમ્નોક્ત વાતોનો વિશેષ વિચાર કરવામાં આવ્યો છે : વિહારનો સમય, વિહાર કરતાં પહેલાં ગચ્છના નિવાસ તથા નિર્વાયોગ્ય ક્ષેત્રનું પરીક્ષણ, ઉત્સર્ગ તથા અપવાદની દૃષ્ટિથી યોગ્ય-અયોગ્ય ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોનું નિર્વાચન, ક્ષેત્રની પ્રતિલેખના નિમિત્તે ગમનાગમનની વિધિ, વિહાર-માર્ગ તથા સ્થપ્ટિલભૂમિ, જલ, વિશ્રામસ્થાન, ભિક્ષા, વસતિ, સંભવિત ઉપદ્રવ વગેરેની પરીક્ષા, પ્રતિલેખનીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાની વિધિ, ભિક્ષાચર્યા દ્વારા તે ક્ષેત્રના નિવાસીઓની મનોવૃત્તિની પરીક્ષા, ભિક્ષા, ઔષધ વગેરેની સુલભતા-દુર્લભતાનું જ્ઞાન, વિહાર કરતાં પહેલાં વસતિના સ્વામીની અનુમતિ, વિહાર કરતી વેળાએ શુભ શકુન-દર્શન, વિહાર સમયે આચાર્ય, બાલદીક્ષિત, વૃદ્ધ સાધુ વગેરેનો સામાન (ઉપધિ) ગ્રહણ કરવાની વિધિ, પ્રતિલિખિત ક્ષેત્રમાં પ્રવેશ તથા શુભાશુભ શકુનદર્શન, વસતિમાં પ્રવેશ કરવાની વિધિ, વસતિમાં પ્રવિષ્ટ થયા બાદ આચાર્ય વગેરેનું જિનચૈત્યોનાં વંદન નિમિત્તે ગમન, માર્ગમાં ગૃહ-જિનમદિરાનાં દર્શન, સ્થાપનાકુલની વ્યવસ્થા, સ્થાપનાકુલોમાં જવા યોગ્ય અથવા મોકલવા યોગ્ય વૈયાવત્યકારના ગુણ-દોષની પરીક્ષા. સ્થાપનાકૂલોમાંથી વિધિપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy