SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ નિશીથ-વિશેષચૂર્ણિ ૩૦૯ પાડવામાં આવ્યો છે. તદનન્તર પગ વગેરેનાં આમર્જન, પ્રમાર્જન, પરિમર્દન, અત્યંગ વગેરેથી લાગનાર દોષોનો ઉલ્લેખ કરતાં તદ્વિષયક પ્રાયશ્ચિત્તોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એક વાર સાફ કરવું આમર્જન છે, વારે વારે સાફ કરવું પ્રમાર્જન છે. અથવા હાથથી સાફ કરવું આમર્જન છે, રજોહરણથી સાફ કરવું પ્રમાર્જન છે : મામતિ શિ, પતિ પુળો પુછો ! અહવા હત્યે મન, રદિપ પHai I ગંડ, પિલક, અરતિત, અર્શિકા, ભગંદર વગેરે રોગોનાં છેદન, શોધન, લેપન વગેરેનો નિષેધ કરતાં ગંડ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવ્યું છે : છતીતિ iઉં તે વ પંડમાતા, ગ ર મi (પિત્ત) તુ પતિ મંઉં અતિતો जं ण पच्चति, असी अरिसा ता य अहिट्ठाणे णासाते व्रणेसु वा भवति, पिलिगा (पिलगा) सियलिया, भगंदरं अप्पण्णतो अधिट्ठाणे क्षतं किमियजालसंपण्णं भवति । बहुसत्थसंभवे अण्णतरेण तिक्खं स (अ)हिणाधारं जातमिति प्रकारप्रदर्शनार्थम् । एक्कसि ષટુવા મછંઈ, વહુવારું જુદુ વા છતાં વિછિi - આ જ રીતે નખાઝને ઘસીને તેજ બનાવવા, તેનાથી રોમ વગેરે તોડવા, તેને દાઢી, જંઘા, ગુહ્યભાગ વગેરેમાં ફેરવવા વગેરે વાતોનો નિષેધ કરવામાં આવ્યો છે તથા અમિલ, કર્ણમલ, દંતમલ, નખમલ વગેરેને ખોદી-ખોદીને બહાર કાઢવાની મનાઈ કરી છે. ઉચ્ચાર-પ્રગ્નવણનો ઘરમાં, ગૃહમુખ પર, ગૃહદ્વાર પર, ગૃહપ્રતિદ્વાર પર, ગૃહૈલુક (ઉંબરો) પર અથવા ગૃહાંગણમાં પરિત્યાગ કરવો પણ આ જ રીતે નિષિદ્ધ છે. અન્ય નિષિદ્ધ સ્થાનો પર પણ તેનો પરિત્યાગ ન કરવો જોઈએ. પરિત્યાગ કરવાથી માસલઘુ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. આ જ રીતે અસમયે ઉચ્ચાર-પ્રમ્રવણનો પરિત્યાગ કરનાર માટે પણ આ જ પ્રાયશ્ચિત્ત છે. રાત્રિ વગેરે સમયે બહાર નીકળવાથી લાગતા અનેક દોષોનું વર્ણન ચૂર્ણિકારે પ્રસ્તુત ઉદેશના અંતે કર્યું છે. ચતુર્થ ઉદેશઃ આ ઉદેશમાં સૂત્રોનું સામાન્ય વ્યાખ્યાન કરતાં નિમ્નલિખિત વિષયો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છેઅનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગ, કાયોત્સર્ગના વિવિધ ભંગ, આયંબિલની પરિસમાપ્તિ તથા આહારગ્રહણ, સ્થાપનાકુલ અને તેના વિવિધ પ્રકાર, સ્થાપનાકુલસંબંધી સામાચારી, નિર્ગુન્શીની વસતિ અને તેમાં નિર્ચન્થ દ્વારા પ્રવેશ, રાજા, અમાત્ય, શેઠ, પુરોહિત, સાર્થવાહ, ગ્રામમહત્તર, રાષ્ટ્રમહત્તર અને ગણધરનાં લક્ષણ, ગ્લાન સાધ્વી અને તેની સેવા, અધિકરણ અને તેના ભેદ, સંરંભ, ૧. પૃ. ૨૧૦. ૨. પૃ. ૨૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy