SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જુજવળ તથા દેશી પ્રાકાર : જુજવળ એ ઓળિયું, કાંબી કે આંકણી જેવું લેખનનું સાધન છે. તે લોખંડનું બનેલું લીટીઓ પાડવાનું સાધન છે. લેખણ તરીકે સોયો, બર કે દર્ભ તથા સોના કે ચાંદીની કલમો કામમાં આવતી. આવી કલમો કૂચો ન બની જાય તે માટે જુજવળ સાધન સારું કામ આપતું. પ્રાકાર એટલે આજનો કંપાસ. તે જમાનામાં તેમાં પેન્સિલ ભરાવવાની જરૂર ન રહેતી. આ સાધનની એક બાજુની અણીને શાહીમાં બોળીને વર્તુળ દોરાય. શાહી-મષી : મષી એટલે મેશ અર્થાતુ કાજળ. કાળા રંગ માટે “મષી' શબ્દપ્રયોગ થયો છે. જે સાધનથી લિપિ-અક્ષરો દશ્યરૂપ ધારણ કરે છે તેનું નામ મલી છે. પુસ્તકો લખવાના કામમાં કાળી શાહીનો જ ઉપયોગ થતો હતો. જે સાધનથી લખાણ થતું તે કિન્તો કહેવાય. તે બરુનો બને. લાલ તથા અન્ય શાહીનો ઉપયોગ પાછળથી એટલે કે છેલ્લાં પ00 વર્ષથી થયો છે. ૧ શેર તલિયા તેલમાંથી ૧ તોલો કાજળ નીકળે. ૧૫૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001310
Book TitleLakshmanbhai Bhojakna Sannidhyama
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia
PublisherGurjar Agency
Publication Year2006
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy