________________
DS
(૧૧) મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. (૧૨) અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, * કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. (૧૩) આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ
કરતાં હવે અટકો. (૧૪) ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. (૧૫) પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.
– શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભુમય જીવન, એક વ્યક્તિએ ગાંધીજી પરના પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું કે મને એક સ્વપ્ન આવ્યું હતું. તેમાં મેં જોયું તો આપ હવે આ દુનિયાના થોડા દિવસોના જ મહેમાન છો. આ સ્થિતિમાં આપે આપની સર્વ પ્રવૃત્તિઓ સંકેલી લેવી જોઈએ અને આપના આયુષ્યના આ અંતિમ દિવસો પ્રભુભજનમાં વિતાવવા જોઈએ.
ગાંધીજીએ આ વ્યક્તિને જવાબમાં જણાવ્યું કે ભાઈશ્રી, તમારું કહેવું ઠીક છે. પરંતુ આપણે આપણા જીવનની માત્ર અંતિમ ક્ષણો જ શા માટે પ્રભુસ્મરણમાં વિતાવવી જોઈએ? આખું જીવન બેદરકાર રહીએ અને ઘડપણમાં ગોવિંદ ગાવા બેસીએ એ વિચાર જ ખોટો છે. મોતનો ભરોસો શો? ખરું પૂછો તો જીવનની
પ્રત્યેક ક્ષણ અંતિમ ક્ષણ નીવડી શકે છે; એટલે આમ માનીને, તે આપણે આપણું સમગ્ર જીવન જ પ્રભુમય કાં ન બનાવીએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary