SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રીમદ્ રાજચંદ્ર | 29 વિશિષ્ટ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા અને અંતિમ ચર્યામાં સેવામાં રહ્યા હતા. શ્રી માણેકલાલ ઘેલાભાઈ, જેઓ શ્રીમદે રચેલી આત્મસિદ્ધિના વાંચન માટે સર્વપ્રથમ થયેલી ચાર પ્રતમાંથી એક પ્રત મેળવવા માટે ભાગ્યશાળી થયા હતા. શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરી, જેઓએ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની વ્યવસ્થા ઘણાં વર્ષો સુધી સંભાળી હતી. શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, જેઓ શ્રીમના નાના ભાઈ હતા. જીવનની માત્ર છેલ્લી અવસ્થામાં જ તેઓ શ્રીમન્ને કંઈક અંશે ઓળખી શક્યા. શ્રીમતું સાહિત્ય પ્રગટ કરવામાં તેમણે મુખ્ય અને પ્રશંસનીય કહી શકાય તેવું કાર્ય કર્યું. શ્રી ત્રિભોવન માણેકચંદ, જેઓ ખંભાતના એક અગ્રગણ્ય મુમુક્ષુ હતા. શ્રી ઝવેરભાઈ શેઠ, જેઓ શ્રીમની કાવિઠાની એકાંત ચર્યા વખતે તેમની સેવામાં રહેતા. શ્રી જેસિંગભાઈ ઉજમશી, જેઓ “મોક્ષમાળા' પ્રગટ કરવામાં સહાયક થયા હતા અને જેઓના વંશજો હજુ સુધી સારી રીતે શ્રીમન્ના ભક્ત-ઉપાસક રહ્યા છે. આ ઉપરાંત સર્વશ્રી મોતીચંદ ગિરધર કાપડિયા, લહેરચંદભાઈ, ખીમજી દેવજી, વ્રજલાલભાઈ, શંકરભાઈ, ડુંગરશીભાઈ, છોટાલાલ માણેકચંદ, વિનયચંદ્ર પોપટભાઈ દફતરી, અનુપચંદ મલકચંદ વગેરે સજ્જનો ઉપર પણ શ્રીમો ઠીક ઠીક પ્રભાવ પડ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy