________________
૧૬૦
મેં પરભવે કે આ ભવે હિત કાંઈ પણ કીધું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં; જન્મો અમારા જિનજી ભવપૂર્ણ ક૨વાને થયા,
દૈનિક - ભક્તિક્રમ
આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા...... ૬ અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ વિભુ ! ભીંજાય નહીં મુજ મન રે રે! શું કરું હું તો પ્રભુ ! પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ! ક્યાંથી દ્રવે ! મર્કટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. . . ૭ ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના,
જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયાં પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકા૨ જઈને હું કરું. ....
ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા,
ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. ...... ૯
મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને,
ને નેત્રને નિંદિત કર્યાં પરનારીમાં લપટાઈને;
८
વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું,
હે નાથ ! મારું શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦
કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી,
ને વિષયમાં બની અંધ હું વિટંબણા પામ્યો ઘણી;
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org