SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ચારિત્ર્ય-સુવાસ હતું. બાળક તો ખેતરમાં બેસી ઈશ્વરસ્મરણ કરતો. એક વખત તે ખેતરમાં ચારે તરફ ફરતો હતો ત્યારે તેને જોઈને પક્ષીઓ ઊડી જવા લાગ્યાં. આ જોઈ બાળકને દુ:ખ થયું અને તે મનમાં વિચારવા લાગ્યો કે આ પક્ષીઓ પરમાત્માનાં છે અને આ ખેતર પણ પરમાત્માનું જ છે. આથી તેના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે, હે પક્ષીઓ ! મારાથી ડર્યા વિના તમે પેટ ભરીને ખાઈ લો. આ બાળક તે બીજા કોઈ નહીં પરંતુ પંજાબના પ્રસિદ્ધ શીખ ગુરુ નાનક સાહેબ ! જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમના પિતાએ તેમને અનાજની દુકાન ઉપર બેસાડ્યા. એક વાર કેટલાક સાધુઓ આ દુકાન ઉપર અનાજ લેવા આવ્યા. દરેકને અનાજ આપતાં આપતાં તેઓ અનુક્રમે એક, દો, તીન... બારા, તેરા એમ બોલ્યા. “તેરા' શબ્દ આવતાં જ “તેરા' એટલે “તારું' એવો અર્થ હૃદયમાં સ્લરી આવ્યો અને તેઓ મનોમન વિચારવા લાગ્યા કે, હે ઈશ્વર ! આ જગતમાં બધું તારું જ છે. દુનિયાની કોઈ પણ ચીજ ઉપર મારો અધિકાર નથી. આપણે પણ બધી ચીજવસ્તુઓ ઉપર મારાપણાનો મોહ ત્યાગી તેના ઉપર ઈશ્વરનો અધિકાર સ્થાપિત કરવો જોઈએ. એક સાધક વિધવિધ સગુણોનો પોતાના જીવનમાં વિકાસ કરવામાં પ્રયત્નવાન હતો, તેમાં તેણે ક્ષમા-ગુણની સાધના ત્રણ-ચાર માસ સુધી આદરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy