SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ હર્ષનાદ કર્યો : છત્રપતિ શિવાજી મહારાજનો જય.' શિવાજીએ ઉદ્બોધન કર્યું, ‘માતા મલબાઈનો જય.’ ૫૫ પાત્રભેદ એક દિવસ મશહૂર ગવૈયા તાનસેનના સંગીતથી ખુશ થઈ શહેનશાહ અક્બરે તેને પૂછ્યું : ‘આવું સુંદર સંગીત તમે કોની પાસે શીખ્યા ?' તાનસેને જવાબ આપ્યો, ‘મારા ગુરુ હરિદાસજી પાસેથી.’ અકબરને થયું કે આપણે તાનસેનના ગુરુ પાસે જઈએ અને તેમનું સંગીત સાંભળીએ. પછી તાનસેનને લઈ અકબર પોતાની મંડળી સાથે હરિદાસજીના નિવાસસ્થાને ગયો. હરિદાસ તો સુરદાસજીની જેમ નિરંતર ઈશ્વરભક્તિમાં મસ્ત રહેતા. તેઓ ઈશ્વરનાં ભજન સિવાય બીજું કશું ગાતા નહિ. બાદશાહે હરિદાસજીને કાંઈ સંગીત સંભળાવવાની વિનંતી કરી. હરિદાસજીએ તો નિત્યક્રમ મુજબ પરમાત્માનું સુંદર ભજન ગાયું. બાદશાહ અતિશય પ્રસન્ન થયો. હરિદાસજીનો યથાયોગ્ય સત્કાર કરી તે દરબારમાં આવ્યો. એક દિવસ કચેરીમાં અક્બરે તાનસેનને પોતાના ગુરુએ ગાયેલું ભજન ગાવાનું કહ્યું. તાનસેને ગાયું તો ખરું પરંતુ બાદશાહને તે દિવસ જેવી મજા ન આવી. બાદશાહે તાનસેનને પૂછ્યું, ‘અત્યારે તેં ગાયેલું ભજન તે દિવસના જેવું પ્રિય ન લાગ્યું તેનું કારણ શું ?' તાનસેન બોલ્યો, ‘હું તો આપને પ્રસન્ન કરવા ગાઉં છું. મારા ગુરુ આપને પ્રસન્ન કરવા ભજન ગાતા ન હતા પરંતુ બાદશાહના બાદશાહને પ્રસન્ન કરવા ગાતા હતા. ભજન તો એનું એ જ છે છતાં મારા અને તેમના સંગીત વચ્ચે તફાવત પાડનાર કારણ એક જ છે !' Jain Education International ૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy