SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ ચારિત્ર્ય-સુવાર કસ્ટમ-ઓફિસર પણ મનમાં તેમને ધન્યવાદ આપતો રહ્યો. ૫૪ શૂરવીરતાનું સન્માન વર્તમાન મૈસૂર અને આંધ્રપ્રદેશની સરહદ પાસે બેલ્લારી નામનું એક નગર છે. લગભગ ઈ. સ. ૧૬૬પમાં જ્યારે છત્રપતિ શિવાજી પોતાનું રાજ્ય વિસ્તારી રહ્યા હતા ત્યારે તેઓએ બેલ્લારીના રાજ્ય પર ચઢાઈ કરી. તે વખતે બેલ્લારીમાં કોઈ રાજા ન હતો પરંતુ રાજ્યનો વહીવટ મલબાઈ દેસાઈ નામની એક શૂરવીર વિધવાબાઈ ચલાવતી હતી. પ્રબળ મરાઠા લશ્કર સામે બેલ્લારીનું નાનું લશ્કર કેટલી ટક્કર ઝીલી શકે ? તોપણ યુદ્ધ તો થયું જ અને આખરે મલબાઈને કેદ કરીને શિવાજી મહારાજ સમક્ષ હાજર કરવામાં આવી. પરાજય પામેલી હોવા છતાં મલબાઈની છટા, પ્રસન્નતા અને હિંમત જોઈને શિવાજી નવાઈ પામ્યા. મલબાઈએ સ્પષ્ટપણે કહ્યું કે તમે મૃત્યુદંડ આપી શકો છો પણ કોઈ રીતે મારું અપમાન કરશો નહીં. શિવાજી શૂરવીરતાના પૂજક હતા. તેમણે મલબાઈને કહ્યું, “મારી માતા જીજાબાઈની જગ્યાએ જ હું તમોને માનીશ. તમારું રાજ્ય છે તે સ્વતંત્ર રહેશે. મરાઠા સામ્રાજ્ય તમારા રાજ્ય સાથે, હું જીવું છું ત્યાં સુધી એક ઉત્તમ મિત્રરાજ્ય તરીકેનો વ્યવહાર કરશે.' મલબાઈ શિવાજીનું વિધાન સાંભળી ગદ્ગદ થઈ ગયાં અને એક સાચા છત્રપતિ તરીકે તેમને બિરદાવ્યા. સૌ સભાજનોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy