SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર ' ચારિત્ર્ય-સુવાસ પસંદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મંત્રી ચતુર હતા. તેમણે તુરત રાજાને કહ્યું, “મહારાજ ! સિદ્ધરાજમાં જે અઠ્ઠાણું ગુણ હતા તે તેના બે મહાન દુર્ગુણોમાં તદ્દન છુપાઈ જાય છે. સમરાંગણમાં કાયરતા અને સ્ત્રીલંપટતા. જ્યારે આપનામાં જે પણતા (લોભીપણું) આદિ દોષ છે તે બધાય આપના બે અતિ મહાન ગુણોમાં ક્યાંય છુપાઈ જાય છે – સમરાંગણમાં શૂરવીરતા અને પરસ્ત્રીમાં સહોદરપણાની ઉચ્ચ ભાવના. (પરસ્ત્રી સાથે ભાઈ તરીકે વર્તવું તે.) આ સાંભળી રાજા કુમારપાળ સ્વસ્થ થયા અને પીઢ મંત્રીના સ્પષ્ટ પણ ન્યાયોચિત અભિપ્રાયની તેમણે પ્રશંસા કરી, અને પોતાની ભૂલ સુધારવા માટે દૃઢ સંકલ્પ કર્યો. ४८ મસ્યા પણ રહ્યા હી વર્તમાનમાં જે શિક્ષણ આપણને મળે છે તે આપણા જીવનવિકાસમાં કેટલા અંશે મદદરૂપ છે અને વ્યવહારજીવનની અનેક સમસ્યાઓને ઉકેલવામાં તે કેટલું ઉપકારી છે તે વિચાર કરવા યોગ્ય છે. વર્તમાન શિક્ષણે આપણા આવા પ્રયોજનને મોટે ભાગે સિદ્ધ કર્યું નથી તે દર્શાવતા ભણેલાઓના નીચેના બે પ્રસંગો રસપ્રદ અને બોધક છે. (૧) એક બી.એ. થયેલા શિક્ષકને દાગીના ઘડાવવા સોનીની પાસે જવાનું થયું. સોનાનું વજન કરતાં બે આનીની જરૂર પડી પણ સોની પાસે તે નહોતી. સોનીએ શિક્ષક ભાઈને પૂછ્યું કે તમારી પાસે બે આની હોય તો આપો. શિક્ષક પાસે બે આની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy