SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ આ જ ગંદું પાણી વૈજ્ઞાનિક રીતે ગાળીને શુદ્ધ બનાવવામાં આવતું હતું. તેમાં અનેક જાતનાં સુગંધી દ્રવ્યો ભેળવવામાં આવતાં હતાં. મૂળ પાણી તો પેલી ખાઈનું જ હતું પરંતુ તેના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી સુંદર બન્યું હતું. રાજાએ આ વસ્તુ જાણી આનંદ પ્રગટ ર્યો, અને કોઈ પણ વસ્તુના માત્ર બાહ્ય દેખાવ ઉપરથી તેના વિષે કોઈ નિર્ણય ન બાંધવો તેમ નક્કી કર્યું. વળી બહારથી ખરાબ દેખાતી વસ્તુને સારી બનાવી શકાય છે, પુદ્ગલમાત્ર પરિવર્તનશીલ છે તે પણ રાજાને સમજાયું. ૩૨ તા અમદાવાદના પ્રસિદ્ધ સંત સરયૂદાસજી મહારાજના પૂર્વાશ્રમની આ વાત છે. ૩૫ ગૃહસ્થાશ્રમમાં પણ તેમના પર સત્સંગ અને ભક્તિની ધૂન સવાર રહેતી. એક દિવસે તેઓ પોતાની દુકાનમાં બેઠા હતા, ત્યાં તેમને સમાચાર મળ્યા કે અમુક સંત-મહાત્મા હમણાં જ પધાર્યા છે અને ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા છે. તેઓએ પોતાની દુકાન તુરત જ બંધ કરી અને ઝડપથી સંતોની પાસે પહોંચીને તેમનો વિનય-સત્કાર કરી પોતાને યોગ્ય સેવા ફરમાવવા કહ્યું. લગભગ બપોરના બાર વાગી ગયા હતા. તેથી ગામમાં ભિક્ષા માટે જવાનું સંતોને માટે પણ વિકટ હતું. સવારનું કાંઈ લીધેલું નહીં તેથી ભોજનની આવશ્યકતા તો હતી જ. સરયૂદાસજી આ વાત તુરત જ સમજી ગયા. ‘થોડી વારમાં હું આપની સેવામાં પાછો હાજર થાઉં છું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy