SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ દરિભેદ - ચંપાનગરીની બહાર એક મોટી ખાઈ હતી. તે ખાઈનું પાણી ખૂબ જ ગંદું અને દુર્ગંધયુક્ત હતું. એક વાર ચંપાનગરીનો રાજા પોતાના સુબુદ્ધિ નામના જૈન પ્રધાન અને અન્ય દરબારીઓ સાથે તે ખાઈ પાસેથી પસાર થતા હતા. રાજાએ અને બધા દરબારીઓએ દુર્ગધને લીધે નાકે આડાં વસ્ત્ર ધરી દીધાં. પરંતુ મંત્રી સુબુદ્ધિએ તેમ ન કર્યું. દરબારીઓ કે જેમને મંત્રી તરફ ઈષ્ય હતી તેમણે જરા હળવાશથી કહ્યું : “રાજનું તમને આ ખાઈનું પાણી માથું ફાડી નાખે તેવી દુર્ગધ મારતું લાગે છે પરંતુ આપના આ મંત્રી આપની મશ્કરી કરતા લાગે છે. જુઓ તો ખરા ! આપણે નાક આડું વસ્ત્ર દીધું પણ તેમને તો સુગંધ આવતી લાગે છે !' આવાં વચનો છતાં મંત્રી સુબુદ્ધિ સહેતુક મૌન રહ્યા. તેમણે નક્કી કર્યું કે વખત આવ્યે રાજાને સાચી પરિસ્થિતિનું ભાન કરાવીશ. થોડા સમય પછી મંત્રીએ રાજાને અને દરબારીઓને પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. જમ્યા પછી પાણી આપવામાં આવ્યું. પાણી પીતાં રાજાને પ્રધાનની ઈર્ષ્યા થઈ. આવું સ્વાદિષ્ટ અને સુગંધીદાર પાણી રાજાએ અગાઉ ક્યારેય પીધું ન હતું. રાજાએ ગુસ્સામાં આવી મંત્રીને કહ્યું કે મારા રાજ્યમાં રહી આવું પાણી એકલા એકલા પીતાં તમને શરમ નથી આવતી ? દરબારીઓએ પણ રાજાની વાતમાં સાથ પુરાવ્યો. મંત્રીએ રાજાને વિનંતી કરી કે મને અભયવચન આપો તો આપની વાતનો ખુલાસો કરું. રાજાએ વચન આપ્યું. મંત્રી સૌને મકાનના ભોંયરામાં લઈ ગયા. ભોયરામાં પેલી દુર્ગધયુક્ત ખાઈનું પાણી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy