SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ નમસ્કાર કર્યા. કોઈ પણ જાતના આશીર્વાદ આપવાને બદલે પેલા બ્રાહ્મણે પોતાની આંખો થોડી સેકંડો માટે બંધ કરી દીધી. રાજા વિસ્મય પામ્યો અને બ્રાહ્મણને પૂછ્યું, “વિપ્ર, તમે મને આશીર્વાદ આપવાને બદલે આંખો કેમ બંધ કરી દીધી ?” બ્રાહ્મણ કહે, મહારાજ ! પ્રભુએ તમને આપેલી અઢળક સંપત્તિમાંથી તમે એક નાનો ભાગ પણ દાનને માટે વાપરતા નથી. શિબિ અને કર્ણ જેવા દાનેશરીના વારસદાર તમે, દાનધર્મને ભૂલી કૃપણ, થયા છો તેથી મેં તમને જોઈને નહીં. પણ તમારા લોભી સ્વભાવને જોઈને મારી આંખો બંધ કરી દીધી. રાજા ભોજ વિવેકી અને વિચારક હતા. સત્ય બોધ મળતાં જાગ્રત થઈ ગયા અને બ્રાહ્મણનો આભાર માનતાં કહેવા લાગ્યા કે તમારા જેવા સત્યવાદી અને રાજાના દુર્ગુણને બતાવનારની હિંમતને ધન્ય છે. રાજભંડારમાંથી તમોને રૂપિયા એક લાખ અત્યારે મળશે અને જ્યારે પણ કોઈ સત્કાર્ય માટે વિશેષની જરૂર પડે ત્યારે રાજદરબારનાં દ્વાર ખખડાવજો. આ જ ગુણગ્રાહક સ્વભાવવાળા રાજા ભોજ આગળ જતાં પોતાની મહત્તા, કલાપ્રિયતા, સત્યનિષ્ઠા, દાનેશરીપણું, ન્યાય આદિ ગુણોથી ભારતના મહાન સમ્રાટોમાં ગણાયા. ૨૫ vlal qidloil capi લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંની વાત છે. બૌદ્ધ ભિક્ષુઓનો સંઘ બિહારમાં વિહાર કરતો હતો. બપોરનો સમય હતો એટલે ભિક્ષાભોજનથી નિવૃત્ત થઈ ભિક્ષુકો આરામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy