SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર્ય-સુવાસ ભાવ યાદ આવી ગયા. જમવાનું બાજુએ મૂકી તેઓ તો ઊપડ્યા સીધા આરબ વેપારીને ત્યાં ! પોતાના લેણદારને દુકાને આવેલો જોઈ વેપારી બિચારો ગભરાટમાં પડી ગયો. સ્વાભાવિક રીતે જ એણે માની લીધું કે સમય થઈ ગયેલો હોઈ ઝવેરી સોદાની પતાવટ માટે જ આવ્યો હશે. આરબ વેપારીએ કહ્યું : “આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં પડ્યો છું. મારું જે થવાનું હશે તે થશે પરંતુ તમે ખાતરી રાખજો કે હું તમને આજના બજારભાવે મારી સર્વ મિલકત વેચીને પણ સોદો ચૂકવી આપીશ.” ત્યાં તો વાત્સલ્યપૂર્ણ કરુણાભર્યો અવાજ આવ્યો. “વાહ ભાઈ વાહ ! હું ચિંતા શા માટે ન કરું ? તમને સોદાની ચિંતા હોય તો મને કેમ ન હોય ? ચિંતાનું મૂળ કારણ આ નાની સરખી ચબરખી છે, તેનો નાશ કરી દઈએ એટલે આપણા બન્નેની ચિંતા મટી જાય.” આમ કહી ઝવેરીએ સોદાનો દસ્તાવેજ નકામા કાગળની માફક જ ફાડી નાખ્યો, જેમાંથી તેમને રૂ. ૭૦,000નો નફો થવાનો હતો ! ત્યારથી આરબ જગતમાં તે વેપારી કહેતો કે હિંદુસ્તાનમાં માનવદેહે એક ખુદાનો ફિરસ્તો વસે છે. આ ઝવેરી તે બીજા કોઈ નહીં પરંતુ જગતને અધ્યાત્મનો સંદેશો આપનાર અને ગાંધીજીને સત્ય અને અહિંસાની પ્રેરણા આપનાર શ્રીમદ્ રાજચંદ્રજી (રાયચંદભાઈ). [, આ એક દાખલામાં જુઓ ! મોટા પુરુષની ઉદારતા, નીતિ, સંતોષ અને સૂક્ષ્મ અહિંસાધર્મને સાચવવાની લગન ! Jain Education International onai For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001294
Book TitleCharitrya Suvas
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy